Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય : મુસાફરની...

બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય : મુસાફરની ફરિયાદ પર રેલવેનો નિર્ણય

16
0

IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય : ભારતીય રેલ્વે

(જી.એન.એસ),તા.૨૪

નવીદિલ્હી,

રેલવેએ મુસાફરોને મોટી રાહત આપી છે. IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય. હવે આવી ટિકિટો પર રેલવે દ્વારા નિર્ધારિત યાત્રી દીઠ માત્ર રૂપિયા 60 કેન્સલેશન ફી વસૂલવામાં આવશે. હવે આવી ટિકિટો પર રેલવે દ્વારા નિર્ધારિત યાત્રી દીઠ માત્ર રૂપિયા 60 કેન્સલેશન ફી વસૂલવામાં આવશે. એક મુસાફરની ફરિયાદના આધારે રેલવેએ મુસાફરોને આ રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી સમગ્ર દેશના લોકોને રાહત મળશે. મુસાફરે 12 એપ્રિલે રેલવે પ્રશાસનને ટિકિટ કેન્સલ કરાવવા માટે IRCTC દ્વારા વસૂલવામાં આવતી મનમાની ફી અંગે પત્ર મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, જો IRCTC વેબસાઈટ દ્વારા બુક કરવામાં આવેલી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે પોતે જ તે ટિકિટો કેન્સલ કરી દે છે. તેમજ અમારા દ્વારા ચૂકવવામાં આવતી રકમનો મોટો ભાગ સર્વિસ ચાર્જ તરીકે કાપવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, એવું કહેવામાં આવ્યું હતું કે જો વેઇટિંગ ટિકિટ 190 રૂપિયામાં બુક કરવામાં આવતી તો ટિકિટ કન્ફર્મ ના હોય, ત્યારે રેલવે માત્ર 95 રૂપિયા જ રિફંડ કરતી હતી. આ ફરિયાદના આધારે, IRCTCએ આ મોટી કાર્યવાહી કરી છે. IRCTCના મેનેજિંગ ડિરેક્ટરે 18 એપ્રિલે ફરિયાદી મુસાફરને જાણ કરી હતી કે, ટિકિટ બુકિંગ અને રિફંડ સંબંધિત નીતિ, નિર્ણયો અને નિયમો ભારતીય રેલવે (રેલવે બોર્ડ)નો વિષય છે. IRCTC રેલવે દ્વારા ઘડવામાં આવેલા નિયમો અને નિયમોનું પાલન કરવા બંધાયેલ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, સંપૂર્ણ વેઇટલિસ્ટ, RAC ટિકિટ ક્લર્કેજ ચાર્જના કિસ્સામાં, ભારતીય રેલવેના નિયમો અનુસાર યાત્રી દીઠ રૂપિયા 60 કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવશે. IRCTCના મેનેજિંગ ડિરેક્ટરે મુસાફરના સૂચનની ખૂબ પ્રશંસા કરી છે. આ મામલો રેલવે પ્રશાસન સમક્ષ લાવવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અહીં મુસાફરે આ બાબતે સંજ્ઞાન લઈને તાત્કાલિક પગલાં લેવા બદલ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ નેતાના ‘વિરાસત ટેક્સ’ના નિવેદનથી વિવાદ
Next articleવેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને રાષ્ટ્રપતિ મુર્મૂએ પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો