Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી નશેડી યુવકે ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ખૌફનાક ઘટનાથી સૌ કોઈ હચમચી...

નશેડી યુવકે ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ખૌફનાક ઘટનાથી સૌ કોઈ હચમચી ગયા

50
0

દિલ્હીના પાલમ વિસ્તારમાં ચાર લોકોની હત્યાનો ખૌફનાક મામલો સામે આવ્યો છે. એક પરિવારના ચાર સભ્યોની હત્યા ઘરની અંદર જ ચાકૂ મારીને કરી દેવાઈ. હત્યાનો આરોપ પરિવારના જ એક યુવક પર છે. જે નશાનો આદી છે. હાલ તેની ધરપકડ કરી લેવાઈ છે. દિલ્હીના પાલમ વિસ્તારમાં ચાર લોકોની હત્યાનો ખૌફનાક મામલો સામે આવ્યો છે. એક પરિવારના ચાર સભ્યોની હત્યા ઘરની અંદર જ ચાકૂ મારીને કરી દેવાઈ. હત્યાનો આરોપ પરિવારના જ એક યુવક પર છે. જે નશાનો આદી છે. હાલ તેની ધરપકડ કરી લેવાઈ છે.

આરોપ છે કે તેણે તેના પિતા, દાદી અને બંને બહેનોને ચાકૂ મારીને મોતને ઘાટ ઉતારી દીધા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હત્યાની પાછળનો આશય શું હતો તે હજુ જાણી શકાયું નથી. આ ઘટનાને બુધવારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં અંજામ અપાયો. આરોપી નશાનો આદી છે અને તેણે સંબંધોનું જ કત્લેઆમ કરી નાખ્યું. મળતી માહિતી મુજબ તેની બે બેહનો પિતા અને દાદીના લોહીથી લથપથ મૃતદેહો પડ્યા હતા. એક મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો જ્યારે બાકીના બે સભ્યોના મૃતદેહ બાથરૂમમાંથી મળ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમસાજની મજા બાદ જેલમાં જલસાનો બીજો વીડિયો આવ્યો સામે, જોવા મળ્યા આ હાલતમાં!!
Next articleસીબીઆઈએ સોનાલી હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી, CBIએ 2ને આરોપી બનાવ્યા