Home ગુજરાત નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાજીની પૂજા કરવામાં આવે છે

નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાજીની પૂજા કરવામાં આવે છે

26
0

નવરાત્રીમાં ચોથા દિવસે નવદુર્ગા માતાજીના “કુષ્માંડા” સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. મા કુષ્માંડા તેજની દેવી છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાકરવાથી ખ્યાતિ, શક્તિ અને બુદ્ધિ વધે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કુષ્માંડા માતાજીને અષ્ટભુજા દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમના હાથમાં કમંડલ, કમળ, અમૃતમય કળશ, ચક્ર, ગદા, ધનુષ્ય, બાણ અને માળા હોય છે. માતા કુષ્માંડા વાઘની સવારી કરે છે અને લીલો રંગ માતાને ખૂબ જ પ્રિય છે. તેથી તેમની પૂજામાં લીલો રંગ ધારણ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતા કુષ્માંડાને માલપુઆ ભોગ ચઢાવવાથી સાધકને વિશેષ લાભ મળે છે.
.. ધ્રુમિત ઠક્કર (એજન્સી)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્‍કર્સ કમિટીની ૧૭૮મી બેઠક સંપન્ન
Next articleદૈનિક રાશિફળ (તા.૧૯-૧૦-૨૦૨૩)