Home ગુજરાત નરોડા પાટિયા કેસમાં માયા કોડનાનીના સાક્ષી તરીકે અમિત શાહને રજૂ કરવાની...

નરોડા પાટિયા કેસમાં માયા કોડનાનીના સાક્ષી તરીકે અમિત શાહને રજૂ કરવાની કોર્ટની મંજૂરી

389
0

જી.એન.એસ, તા.૧૩
ભૂતપૂર્વ ભાજપ MLA માયા કોડનાનીને સ્પેશિયલ કોર્ટે વર્ષ 2002માં નરોડા પાટિયા હત્યાકાંડ કેસની સુનાવણીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને સાક્ષી તરીકે રજૂ કરવાને મંજૂરી આપી દીધી છે. માયા કોડનાનીએ અમિત શાહ સહિત કુલ 14 જણાને સાક્ષી તરીકે રજૂ કરવા માટેની અરજી દાખલ કરી હતી જેને કોર્ટે મંજૂર કરી છે.
માયા કોડનાની આ સાક્ષીઓ દ્વારા કોર્ટમાં સાબિત કરશે કે તેઓ ઘટના સમયે ત્યાં હાજર નહોતાં. માયા કોડનાનીની યાચિકા અંગે સ્પેશિયલ કોર્ટના જસ્ટીસ પી. બી. દેસાઇએ કહ્યું કે આ સાક્ષીઓને સુનાવણીના યોગ્ય તબક્કાઓમાં સમન જારી કરવા જોઇએ. જજે એમ પણ કહ્યું કે જો કેટલાક સાક્ષીઓની જુબાની પુનરાવર્તિત થવાની સંભાવના હોય તો પછીના તબક્કામાં તેમને ન બોલાવવાનો પણ વિકલ્પ છે. પરંતુ ફરિયાદી પક્ષ તરફથી કોઇ વાંધો ન ઉઠાવાતા અને બચાવ પક્ષના સાક્ષીઓની પૂછપરછ કરવાના આરોપીના અધિકારોને સમજતા મારું માનવું છે કે સાક્ષીઓની આટલી સંખ્યાની પૂછપરછ કરવી ન તો અનુચિત છે કે ન તો અસંગત છે.
ઉલ્લેખનીય છે કે નરોડા પાટિયા કેસમાં માયા કોડનાનીને 28 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. જોકે હાલમાં તેઓ જામીન પર મુક્ત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાઃ લક્ઝુરીયસ કારમાં દારૂ-બિયરની હેરાફેરી કરતો પોલીસ પુત્ર ઝડપાયો
Next articleટ્રમ્પને પછાડી મોદી બન્યા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા