Home દુનિયા - WORLD તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના વિસ્ફોટ, 4 લોકોના મોત, 38 થયા ઘાયલ

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના વિસ્ફોટ, 4 લોકોના મોત, 38 થયા ઘાયલ

36
0

(જી.એન.એસ)ઇસ્તાંબુલ,તા.૧૪
તુર્કીની રાજધાની ઇસ્તાંબુલના તકસીમ સ્ક્વાયરમાં બોમ્બ ધમાકો થયો છે, જેમાં ચાર વ્યક્તિના મોત થયા છે અને કુલ 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ધમાકો રવિવાર (13 નવેમ્બર) એ ઇસ્તાંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં તે સમયે થયો, જ્યારે ત્યાં પર મોટી સંખ્યામાં લોકો હાજર છે. ધમાકા બાદ ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓ અને પોલીસ પહોંચી ગઈ છે. વિસ્ફોટ કઈ રીતે થયો તે વિશે વધુ જાણકારી સામે આવી નથી.

https://twitter.com/i/status/1591787584916803585

રિપોર્ટ્સ પ્રમાણે બ્લાસ્ટ બાદ તે વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. વીડિયોમાં ધમાકાની તીવ્રતા ઓછી જોવા મળી રહી છે. સ્થાનીક રિપોર્ટ પ્રમાણે બ્લાસ્ટ સાંજે 4.15 કલાક (તુર્કીના સમયાનુસાર) પર થયો હતો. તુર્કીમાં થયેલો આ વિસ્ફોટ પહેલો નથી. આ પહેલા પણ 2017 અને 2015માં ઇસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દ સમૂહોએ અહીં ધમાકા કર્યાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષકને લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલે ટીચરને મૃત જાહેર કર્યાં
Next articleફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો પ્રચાર અભિયાનમાં કોગ્રેસ,ભાજપ અને આપની બાઈક રેલી