Home ગુજરાત ઢબુંડીના ધતિંગ હજુ યથાવત: અંધશ્રદ્ધા નાબૂદ કરવાની વાતો કરતી વિજ્ઞાન જાથા કેમ...

ઢબુંડીના ધતિંગ હજુ યથાવત: અંધશ્રદ્ધા નાબૂદ કરવાની વાતો કરતી વિજ્ઞાન જાથા કેમ ઝૂકી…?

710
0

(જી.એન.એસ. કાર્તિક જાની) તા.૨૭

૧ ઢબુંડી ઉર્ફે ધનજી ઓડના ગોરખધંધા હજુ કોના ઈશારે ધમધમે છે..?

૨ ધનજી ઓડની કેમ આજ સુધી તપાસ કરવમાં ના આવી…?

3 ધનજી ઓડના બેન્ક એકાઉન્ટની તપાસ કેમ નહીં..?

૪ ધનજી ઓડ સામે વિજ્ઞાન જાથાએ કેમ શસ્ત્ર મૂકી દીધા..?

5 ધનજી ઓડ વિરુદ્ધ જે અરજીઓ થઈ હતી તેને લઈને કેમ કોઈ કાર્યવાહી નહીં..?

૬ ધનજી ઓડ જ્યાં ધુણવાના ધતિંગ કરે છે ત્યાં પોલિસ કેમ હજાર રહે છે..

૭ ધનજી ઓડે શુ પોલીસ પ્રોટેકશન માગ્યું છે..?*

ઢબુંડી ઉર્ફે ધનજી ઓડ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાદીઓ કરી લોકોની આસ્થા સાથે ચેડા કરી લાખો રૂપિયા બનાવી દીધા છે તેવા આક્ષેપો તેના સેવકો દ્વારા લગાવામાં આવ્યા હતા,અને આ આક્ષેપો ક્યાંક ને ક્યાંક સાચા પણ ઠરી રહયા હતા, થોડા સમય પહેલા જ ઢબુંડી ઉર્ફે ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, ધનજી ઓડે સમક્ષ બે અરજીઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, એક અરજી ચાંદખેડા પોલિસ સ્ટેશનમાં અને બીજી પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પરંતુ આ અરજીઓને લઈને શુ કાર્યવાહી થઈ તે એક તપાસનો વિષય છે,કેમ કે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ જ્યારે જી.એન.એસ.ન્યુઝ તરફથી ફોન કરી અપડેટ મેળવવાની કોશિશ કરી તો કોઈ ફોન ઉપડવાની તસ્તી લેવામાં આવતી નથી, અને જ્યારે પોલીસ ઇનસ્પક્ટર શ્રી ને પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે શું કાર્યવાહી કરવામાં આવી છે, તે તાપસ કરીને જાણ કરું પરંતુ આજ સુધી પોલીસ સ્ટેશના ના રાજા ગણાતા પી.આઈ પણ અજાણ છે..? કે પછી….! અને ફરી ધનજી ઓડ ચાંદખેડા વિસ્તારમાં પોતાનો ગોરખધંધો ધમ ધમાવી રહ્યો છે.અને ચાંદખેડા પોલીસ સ્ટેશના કર્મચારીઓ પણ ધનજીના ઘર આગળ જોવા મળ્યા હતા, ત્યારે સવાલ એ છે કે ધનજી શુ પોલીસ સુરક્ષા આપી રહી છે..? ધનજીના ઘર આગળ પોલીસ કેમ તૈનાત રહે છે..?
વિજ્ઞાન જાથા એ પણ કેમ ધનજીના ગોરખધંધા બહાર લાવવામાં પીછે હઠ કરી..? શુ વિજ્ઞાન જાથા ધનજીના કરોડોના કારોબાર જોઈ અંજાઈ ગઈ કે શું..? કે પછી વિજ્ઞાન જાથા ધનજીના ચમત્કાર જોઈ ડરી ગઈ…?
વિજ્ઞાન જાથા જ્યા પણ કોઈ આવા ગોરખધંધા ચાલતા હોય છે ત્યાં સ્થળ ઉપર પોલીસ સાથે રાખી રેડ કરે છે.તો વિજ્ઞાન જાથા ધનજીના ચાંદખેડા બંગલા ઉપર કેમ પોલીસ સાથે રાખી ધરપકડ કરાવતી નથી..? શુ વિજ્ઞાન જાથા ધનજીના બંગલે રેડ કરશે..? કે પછી વિજ્ઞાન જાથા પણ તમાશો જ જોયા કરશે..? ધનજી ઓડ લોકોની શ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવી કરોડોનો આસામી બની ગયો છે, ધનજી ઓડની જો આઈ.ટી વિભાગ દ્વારા કે સી.બી.આઈની જો તપાસ કરવામાં આવે તો કરોડોની મિલકત બહાર આવે તેમાં કોઈ નવાહી નહિ…!ધનજી ઓડનો જો હજુ આ ગોરખધંધો ચાલશે તો ઘણા મજબુર લોકોને આત્મહત્યા જેવા પગલાં ભરવા પડે તો નવાહી નહિ..!
સુત્રોથી એવી પણ માહિતી આવી રહી છે કે જો ધનજી ઓડ વિરુદ્ધ ઝડપી કોઈ કાર્યવાહી નહીં થાય તો નિત્યાનંદ આશ્રમમાં જે કારનામા બહાર આવ્યા તેના કરતા પણ મોટા પ્રમાણમાં ધનજી ઓડના કારનામા બહાર આવશે અને તે દિવસ કદાચ એવું ના બને કે પાણી વહી ગયું હોય પછી તમે રોકવા માટે દોડાદોડ કરો, જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ઘણા લોકો છેતરાતા બચી જશે, ઘણા લોકો આત્મહત્યા કરતા બચી જશે..?
ધનજી ઓડ ખરેખર ચમત્કારી હોય તો કેમ જી.એન.એસ ન્યૂઝના કેમેરા સમક્ષ આવી શકતો નથી…? કેમ પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચાણક્યનું નીતિશાસ્ત્ર હતું- તેમની કુટીલતામાં પણ મર્યાદા હતી…
Next articleસરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય કેટલો યોગ્ય…? શિક્ષણ નું સ્તર વધશે કે ઘટશે…?