Home મધ્ય ગુજરાત અમદાવાદ ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

16
0

(જી.એન.એસ) તા. ૧૭

અમદાવાદ,

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે તા. 29 એપ્રિલ, 2024, સોમવારના રોજ 12.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સબંધિત અદાલતમા રજૂ કરવાની ફરિયાદો, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ (વિજિલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-380001ને મોડામાં મોડી તા. 24 એપ્રિલ, 2024ના રોજ બુધવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામા આવશે નહી. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર લોકસભાના ઉમેદવાર, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ દ્વારા 18 એપ્રિલના રોજ મેગા રોડ શો યોજાશે
Next articleચૂંટણી પંચે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ ની કોંગ્રેસ વિષયક ટિપ્પણીઓને લઈને નોટિસ, 18 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો