Home રમત-ગમત Sports ઝહીર ખાને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર ઉઠાવ્યા સવાલ, આ નિયમ ચર્ચાનો વિષય...

ઝહીર ખાને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર ઉઠાવ્યા સવાલ, આ નિયમ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા પણ છે

53
0

(જી.એન.એસ) તા. 19

આઈ પી એલ ની ગત સિઝનમાં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ ટીમો મેચ દરમિયાન પોતાના એક ખેલાડીને બદલી શકે છે. વાસ્તવમાં આ નિયમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. જિયો સિનેમા પર ઝહીર ખાને કહ્યું કે હું સંપૂર્ણ રીતે સંમત છું કે આ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા છે, પરંતુ આપણે તેનો સામનો કરવાનો રસ્તો શોધવો પડશે. આ સિવાય ઝહીર ખાનનું માનવું છે કે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ માત્ર કામચલાઉ ઓલરાઉન્ડર જ ઉપલબ્ધ રહેશે. તેથી, ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમજ ઝહીર ખાને ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું કે મોહમ્મદ સિરાજને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહની સાથે હોવો જોઈએ. આ બે બોલરો સિવાય અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવો જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBCCIએ આઈપીએલ આચારસંહિતા હેઠળ હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
Next articleટી. વી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીની નાની બહેને આ દુનિયાને અલવિદા કહી દીધું