Home ગુજરાત જૂનાગઢની માંગરોળ મામલતદાર ઓફીસમાં વિધાર્થીઓને નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ ન મળતા રોષ

જૂનાગઢની માંગરોળ મામલતદાર ઓફીસમાં વિધાર્થીઓને નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ ન મળતા રોષ

21
0

જુનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ અન્ય અનામતનો લાભ લેવા માટે મામલતદાર કચેરી ખાતેથી નોન ક્રિમીલેયરનાં દાખલા કઢાવવા આવતાં હોય છે પરંતુ વિધાર્થીઓ મામલતદાર કચેરી ખાતે આવતાં નગરપાલિકા કચેરીમાંથી ત્રણ વર્ષનો આવકનો દાખલો મેળવવા કહેલ પરંતુ નગરપાલિકા કચેરીમાં જતાં જવાબ ન મળ્યો હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું ફરી પાછા મામલતદાર કચેરી ખાતે આવતાં એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધરમના ધકા ખાતા વિધાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

જ્યારે વિધાર્થીઓ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી અમારા દાખલાઓ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટમાં નિકળી જતા હતા હવે મામલતદાર બદલ્યા એટલે જાણે કાયદાઓ બદલ્યા હોય તેવા આક્ષેપો કર્યા હતા.ત્યારે એન. એસ.યુ.આઈ પ્રમુખ યશ ગોહેલ દ્વારા માંગરોળ મામલતદાર કચેરીએ એક દિવસનું અલ્ટીમેટમ આવ્યું હતું જણાવ્યું હતુકે વિદ્યાર્થીઓ ને તાત્કાલિક દાખલા નહીં આપવામાં આવેલો કચેરી ખાતે ધરણામાં કરવાની ચીમકી આપી હતી.ત્યારે હવે આ નોન ક્રિમીનલ દાખલા ઓ નિકળશે કે ? તેવા અનેક સવાલો વિધાર્થીઓ કરી રહ્યા છે .

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદના સોજિત્રા પાસે કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું, પત્નીની નજર સામે પતિનું મોત
Next articleગુજરાત સ્ટેટ સબ જુનિયર કરાટે ચેમ્પિયનશિપમાં નડિયાદની આર.કે. માર્શલ આર્ટસ એકેડમીના 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો