Home ગુજરાત જામનગર ખાતે કચરામાંથી વિજળી ઉત્પન્ન કરતા પ્લાન્ટનો મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું

જામનગર ખાતે કચરામાંથી વિજળી ઉત્પન્ન કરતા પ્લાન્ટનો મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું

55
0

(જી.એન.એસ.),તા.૦6
જામનગર
ગુજરાતનો સૌપ્રથમ કચરામાંથી વિજળી ઉત્પન્ન કરતો પ્લાન્ટનો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ લોકાર્પણ કરી જામનગર શહેરને સમર્પિત કરાયો.


આ પ્લાન્ટ રોજનો ૬૫૦ ટન કચરો બાળી એમાંથી ૭.૫ મેગાહટ વિજળીનું ઉત્પાદન કરશે. આ સાથે જામનગર શહેર, ગુજરાતનું સૌપ્રથમ શહેર કચરામાંથી વિજળી ઉત્પન્ન કરતું શહેર બનશે. જેમાં દૈનિક ૬૫૦ ટન કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે.


આ પ્રસંગે જામનગર શહેરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી, માન્ય ધારાસભ્યશ્રી હકુભા જાડેજા, શ્રી આર.સી. ફળદુ, તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ પ્રાંસગિક ઉદ્‌બોધન કર્યું હતું.
જામનગર શહેરના લોકોને અભિનંદન આપ્યા હતા. આજના આ પ્રસંગ દ્વારા જામનગર દ્વારા કુલ ૨૧૮ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓટો, સીડીજીએસ અને એફએમસીજી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ…!!!
Next articleબ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રાજીનામું આપ્યું