Home મનોરંજન - Entertainment જાન્હવી કપૂરએ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં

જાન્હવી કપૂરએ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં

17
0

(GNS),29

જાન્હવી કપૂરને પોતાની માતા શ્રીદેવીની જેમ જ તિરુપતિ મંદિરમાં અપાર શ્રદ્ધા છે. એપ્રિલ મહિનામાં જાન્હવીએ પોતાની બહેન ખુશી કપૂર અને બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતુ મંદિરમાં દર્શન કર્યા હતા. 28 ઓગસ્ટે ફરી જાન્હવીએ તિરુપતિ મંદિરમાં ગઈ હતી અને આ વખતે પણ તેની સાથે શિખર હતો. કથિત બોયફ્રેન્ડ સાથે જાન્હવીના ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં તે અને શિખર આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરમાં પ્રવેશ કરતાં જોઈ શકાય છે. તેમની ફરતે ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત છે. જાન્હવીએ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલની સાદી સાડી પહેરી છે અને હળવો મેકઅપ છે. ચપોચપ વાળ બાંધેલા છે. જ્યારે શિખરે રેશમી ધોતી અને ખેસ પહેર્યા છે. દક્ષિણ ભારતમાં ઓનમની ઉજવણી શરૂ થતાં પહેલાં તેમણે આ મંદિરમાં દર્શન કર્યાં છે. જાન્હવી અને શિખરના આ ફોટોગ્રાફ્સ-વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ શ્રીદેવીનું સ્મરણ કર્યું હતું. જાન્હવીને તેની માતાની કાર્બન કોપી ગણાવીને લોકોએ શુભેચ્છા આપી હતી. જાન્હવી કપૂર ક્યારેય પોતાના સંબંધો વિશે જાહેરમાં બોલતી નથી, પરંતુ શિખર પહાડિયા સાથે અવાર-નવાર જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક્ટિંગ જ કરાય, પ્રોડ્યુસર બનું ત્યારે દેવાળુ ફૂંકાય છે : એકટર સની દેઓલ
Next articleIPL સ્ટારની આગળ શાહિદ આફ્રિદી સુપર ઓવરમાં નિષ્ફળ, 6 બોલમાં 4 વિકેટ ઝડપી!..