Home દેશ - NATIONAL જમ્મુ-કાશ્મીરનો બડગામ જિલ્લો ટાર્ગેટેડ કિલિંગ્સનો સેન્ટર બન્યો

જમ્મુ-કાશ્મીરનો બડગામ જિલ્લો ટાર્ગેટેડ કિલિંગ્સનો સેન્ટર બન્યો

39
0

(જી.એન.એસ),તા.૦૪
શ્રીનગર
છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ ૧૨ મેએ કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી રાહુલ ભટની પણ હત્યા કરી દીધી હતી. પોલીસે કહ્યું કે રાહુલની હત્યા કરનાર આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. ૨૧ માર્ચે બડગામમાં એક સામાન્ય નાગરિક તઝમુલ મોહિઉદ્દીન રાથરને પણ મોતને ઘાટ ઉડારી દેવામાં આવ્યો હતો. તો બે સપ્તાહ પહેલા એક પ્રાદેશિક સેનાના જવાન સમીર અહમદ મલ્લાનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેનો મૃતદેહ બડગામમાં એક બાગમાં મળ્યો હતો. અથડામણમાં માર્યા ગયેલા બે ટોચના કમાન્ડર યુસૂફ કાંતરૂ અને અબ્બાસ શેખ બડગામમાં આતંકવાદી નેટવર્ક બનાવવામાં સફળ રહ્યાં. જિલ્લામાં સેવા આપનાર એક પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ એક સંવેદનશીલ જિલ્લો છે અને અહીં આતંકવાદ વધશે તો તેની અસર શ્રીનગર પર પડશે. તે સુરક્ષા દળોએ બડગામમાં વિશેષ ધ્યાન આપવું જાેઈએ. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પર થઈ રહેલાં આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સાથે સરકારની ચિંતા વધી ગઈ છે. મધ્ય કાશ્મીરનો બડગામ જિલ્લો આતંકીઓની ગતિવિધિઓનું નવુ હોટસ્પોટ બની ગયો છે. ખાસ કરીને ટાર્ગેટેડ હત્યાઓની સિરીઝને લઈને. આ સુરક્ષા દળો સામે પણ પડકાર ઉભો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ બાદથી શ્રીનગર, પુલવામા અને બારામૂલા જિલ્લાની સરહદ પર આવેલા બગડામમાં પાંચ હત્યાઓ થઈ ચુકી છે. સુરક્ષા મામલાની જાણકારી રાખનાર અધિકારીઓએ કહ્યું કે જિલ્લામાં ઘણા આતંકી મોડ્યૂલ સક્રિય છે, જેનાથી આ હત્યાઓ થઈ રહી છે. અધિકારીએ કહ્યું- આપણે જાેયુ કે આતંકવાદી બડગામમાં લોકોને નિશાન બનાવ્યા બાદ કાશ્મીર તરફ ભાગી જાય છે. અમરીન ભટને મારનારને પુલવામામાં ઢેર કરી દેવામાં આવ્યો, જે તે વાતનો સંકેત છે કે સ્થાનીક આતંકીઓ સિવાય દક્ષિણ કાશ્મીરના આતંકીઓ પણ બડગામ જિલ્લામાં સક્રિય છે. મહત્વનું છે કે બડગામમાં ગુરૂવારે ગોળીબારીમાં એક પ્રવાસી મજૂરનું મોત થયું, જ્યારે એકને ઈજા થઈ હતી. તો ૨૫ મેએ અજાણ્યા આતંકીઓએ ટીવી કલાકાર અમરીનની તેના ઘરમાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ગોળીબારમાં તેના ૧૦ વર્ષીય ભત્રીજાને ઈજા થઈ હતી. પોલીસનો દાવો છે કે કલાકારની હત્યા કરનાર જવાબદાર આતંકીઓને ૨૪ કલાકમાં ઠાર કરી દેવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ સોનીપતના બે શાર્પ શૂટર ફરાર
Next articleજ્ઞાનવાપી મસ્જિદ કેસ કોર્ટનો ૮૬ વર્ષ જૂનો નિર્ણય અને હાલની ચર્ચાઓ