Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસને હવેથી સિવિલ કેસ ગણવામાં નહીં આવે પણ ક્રિમિનલ...

ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસને હવેથી સિવિલ કેસ ગણવામાં નહીં આવે પણ ક્રિમિનલ કેસ ગણવામાં આવશે

17
0

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટના સ્થાપના દિવસે એક ખુબજ મહત્વનો ગણી શકાય તેવો નિર્ણય લીધો છે. આ નિર્ણય ગુજરાતના કાયદા ક્ષેત્રમાં આગામી દિવસોમાં બહુજ મોટો  અને ખાસ મહત્વનો પુરવાર થાય તેવી સંભાવનાઓ છે. ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસને હવેથી સિવિલ કેસ ગણવામાં નહીં આવે પણ ક્રિમિનલ કેસ ગણવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસની કેટેગરી હવે બદલાઈ ગઈ છે. આ કેસોને ક્રિમિનલ કેસો ગણવાની સાથે તેની સુનાવણીની પદ્ધતિ પણ બદલાઈ છે. તેની સુનાવણી પણ હવે સિંગલ જજ નહીં કરે પણ બેન્ચ કરશે. આમ પાસાના કેસને સિવિલના બદલે ક્રિમિનલ ગણવા ઉપરાંત તેની સુનાવણી પણ બેન્ચ કરશે.

આમ ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાથી ચાલતો આવેલો નિર્ણય વર્ષ 2024માં બદલવામાં આવ્યો. આ નિર્ણયના લીધે પાસાના કેસોનો હાઇકોર્ટમાં પણ ઝડપી નિકાલ થશે. ગુજરાત હાઇકોર્ટની સ્થાપના પહેલી મે 1960ના રોજ થઈ હતી. તેમા પાસાના કેસોને લઈને મહત્વનો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે લીધો છે. ગુજરાત હાઇકોર્ટના સ્થાપના દિવસે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાંનો દૌર શરૂ
Next articleસાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત, ત્રણ લોકોની હાલત ગંભીર