Home ગુજરાત ગુજરાત સરકારનો C To D પ્રવેશ પ્રક્રિયાને લઇને મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારનો C To D પ્રવેશ પ્રક્રિયાને લઇને મહત્વનો નિર્ણય

44
0

(જી એન એસ) તા. ૨૨

ડિપ્લોમા બેઠકોની ખાલી પડેલી જગ્યાની માહિતી C2D (સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા) પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કાઉન્સિલિંગ શરૂ થયા અગાઉના ત્રણ દિવસ સુધીમાં આપેલી હશે તે જ ખાલી બેઠકો પર જ પ્રવેશ આપી શકાશે…

ગાંધીનગર, 22

AICTE દ્વારા ITI/TEB ના પ્રમાણપત્ર ધારકોને ડિપ્લોમાં અભ્યાસક્રમના બીજા વર્ષમાં સીધો પ્રવેશ આપવાની જોગવાઈ છે..
આ બેઠકોમાં જે તે વિદ્યાશાખાની પ્રવેશ ક્ષમતાના ૧૦ %, તેમજ અગાઉના વર્ષમાં ખાલી રહેલ બેઠકો અને વર્ષ દરમિયાન ખાલી પડતી (અભ્યાસ છોડી જતા વિદ્યાર્થીઓ)ની બેઠકોનો પણ સમાવેશ થાય છે.
જે તે વર્ષમાં કેન્સલ થતી બેઠકોની માહિતી યુનિવર્સિટી દ્વારા પ્રવેશ સમિતિને આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા આ પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે મહત્વનો નિર્ણય કર્યો છે.

હવેથી આ કેન્સલ થયેલ બેઠકોની માહિતી પ્રવેશ સમિતિને બીજા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરુ થયાના પ્રથમ કાઉન્સિલિંગના ત્રણ દિવસ અગાઉ આપેલ હશે તેનો જ સમાવેશ C2D ની પ્રવેશ પ્રક્રિયામાં કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, AICTE દ્વારા C To D એટલે કે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા અને D To D એટલે કે ડિપ્લોમા થી ડીગ્રીમાં પ્રવેશ આપવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફોર્બ્સ ઈન્ડિયાના ‘30 અંડર 30’ લિસ્ટમાં સિદ્ધાંત ચતુર્વેદીનો સમાવેશ
Next articleG20: જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત, ફિલ્મ ટુરિઝમના પ્રમોશન પર ચર્ચા