Home દુનિયા - WORLD ગઝવા-એ-હિંદ માટે જ્યારે અમે નિકળીશું ત્યારે કાફિર નેતાઓને પહેલા ખતમ કરીશું :...

ગઝવા-એ-હિંદ માટે જ્યારે અમે નિકળીશું ત્યારે કાફિર નેતાઓને પહેલા ખતમ કરીશું : ઝૈદ હામિદ

69
0

(જી.એન.એસ),તા.૨૯

પાકિસ્તાન,

હાલમાં પાકિસ્તાન દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પાકિસ્તાનનો એક કથિત સંરક્ષણ નિષ્ણાત ભારત પર કબજો કરવાની વાત કરી રહ્યો છે. આ ક્લિપમાં, લાલ ટોપી રાજકીય કોમેન્ટેટર ઝૈદ હામિદ કહી રહ્યો છે કે ભારતને કબજે કર્યા બાદ સૌથી પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને RSS વડા મોહન ભાગવત તેના નિશાને હશે.

પાકિસ્તાન તરફથી માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર (X) પર શેર કરવામાં આવેલ ઓડિયોમાં ઝૈદ હામિદ કહી રહયો છે કે પાકિસ્તાની આર્મી અને ISIના ટાર્ગેટ પર ભારતના મુખ્ય નેતાઓ છે. સૌથી પહેલા તેમને ખતમ કરવામાં આવશે. જોકે, હાલ તો આ ઓડિયો ક્લિપમાં કેટલી સચ્ચાઈ છે તેની પુષ્ટિ નથી થઈ શકી. આ ઓડિયોમાં ઝૈદ કહી રહ્યો છે કે વાદહરે સમય નહીં લાગે, આ વર્ષે જ આ થશે અને ટૂંક સમયમાં યુદ્ધ શરૂ થશે. આ વાત ઝૈદ હામિદ કોઈને કહી રહ્યો છે, જેની ઓડિયો ક્લિપ શેર કરવામાં આવી છે.

વાયરલ ઓડિયોમાં ઝૈદ કહેતો સંભળાઈ રહ્યો છે કે ‘તેની ડેડલાઈન ભારતમાં 2024ની ચૂંટણી છે. જો ચૂંટણી દરમિયાન લડાઈ શરૂ થશે તો ચાર લોકો આપણી સેના અને ISIના નિશાના પર હશે. કુરાન કહે છે કે કાફિર નેતાઓને પહેલા ખતમ કરી દેવા જોઈએ. અમે આ સ્વીકારીશું અને ગઝવા-એ-હિંદ માટે જ્યારે અમે નિકળીશું ત્યારે સ્પષ્ટ છે કે પહેલા આ નેતાઓને ખતમ કરીશું. ઝૈદે ઓડિયોમાં આગળ જણાવ્યું છે કે, ‘ભારતના અસલી શાસક તો મોહન ભાગવત છે, તેથી સૌથી પહેલા મોહન ભાગવતને નિશાન બનાવાશે. ત્યારબાદ, પીએમ મોદી અને યોગી આદિત્યનાથ. આ ત્રણ બાદ મુંબઈના બાળ ઠાકરેનો પરિવાર અમારા નિશાને હશે. આ લોકોએ મુસ્લિમો પર ઘણા અત્યાચાર કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વાર્તાલાપ
Next articleઆમીર ખાને મહિલા બ્રિટિશ પત્રકારને ગર્ભવતી બનાવી દીધી હતી