Home અન્ય રાજ્ય ‘કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી’: વડાપ્રધાન મોદી

‘કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી’: વડાપ્રધાન મોદી

15
0

(જી.એન.એસ) તા. 28

કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિને અપમાન કર્યું

બેંગલુરુ,

લોકસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે એક જનસભ્ય ને સંબોધતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિને અપમાન કર્યું છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે.

પી એમ મોદીએ કહી હતું કે, કોંગ્રેસે આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામને પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાંજ લખાવ્યો છે. કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે, તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં અત્યાચાર સુલતાનો, નિઝામો અને રાજાઓએ કર્યો હતો પરંતુ તમે રાજાઓનું અપમાન કરો છો. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, તેઓ તેને સમર્થન આપતી પાર્ટી સાથે ગઠબંધન કરે છે. તેઓને ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબોને યાદ નથી આવતા, કોંગ્રેસના રાજકુમાર પાસે નવાબો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી. કોંગ્રેસના ઢંઢેરામાં પણ આ માનસિકતા દેખાઈ રહી છે. જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં વિકાસ અટકી જાય છે.

વડાપ્રધાન મોદીએ વધુ માં કહ્યું હતું કે, કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે આપણાં સેંકડો મંદિરોને તોડ્યા અને અપવિત્ર કર્યા. કોંગ્રેસ ઔરંગઝેબના ગુણગાન ગાતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરે છે. આપણા તીર્થસ્થાનોનો નાશ કરનારા, લૂંટ અને ગાયોની હત્યા કરનારાઓને ભૂલી ગયા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક, ઉજ્જવલ નિકમને ભાજપે ઉત્તર મધ્ય મુંબઈથી ટિકીટ આપી
Next articleતેલંગાણા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય વધારવાની માંગ કરી