Home મધ્ય ગુજરાત અમદાવાદ કેસરીયા યુથ ફેડરેશન દ્વારા અમદાવાદ ના ઇસનપુર માં કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે...

કેસરીયા યુથ ફેડરેશન દ્વારા અમદાવાદ ના ઇસનપુર માં કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે નિઃ શુલ્ક છાશ વિતરણ કેમ્પનું આયોજન

303
0

(જી.એન.એસ),તા.૦૭

અમદાવાદ,

તા.07/04/2024, રવિવારે ના દિવસે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા અમદાવાદ ના ઇસનપુર માં નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો, આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, ઈસનપુર વોર્ડ કાઉન્સિલર શંકરભાઈ ચૌધરી, કાઉન્સિલર મૌલિકભાઈ પટેલ ઈસનપુર વોર્ડ સંગઠન પ્રમુખ રામકિશનભાઈ યાદવ ની વિશેષ ઉપસ્થિત રહીને ઉત્સાહ વધાર્યો.

કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને  પૂર્વ એ એમ ટી એસ કમિટી ના સભ્ય, ડી આર યુ સી સી ના સભ્ય શ્રી શાદુઁલભાઈ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશનના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઇ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, ધ્રુમિત ઠક્કર, પરેશભાઈ પટેલ, દીપેશભાઈ સથવારા, જય દેસાઇ, નરેન્દ્રભાઇ શર્મા દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું. છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ ખાતે યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ
Next articleભાટ ગામના ભરવાડ સમાજના મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા