Home મનોરંજન - Entertainment ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાન ફરી લગ્નના બંધનમાં બંધાશે

ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાન ફરી લગ્નના બંધનમાં બંધાશે

32
0

(જી.એન.એસ.), તા.૦૯
મુંબઈ
બોલીવુડ અભિનેત્રી ઋત્વિક રોશન હાલમાં પોતાના રિલેશનશિપને લઇને ચર્ચામાં છે. તેમનું નામ સતત અભિનેતા સબા આઝાદ સાથે જાેડાયેલું રહ્યું છે. જાેકે બંનેએ પોતાના સંબંધોની પુષ્ટિ તો નથી કરી, પરંતુ બંનેને ઘણીવાર એકબીજા સાથે સ્પોટ કરવામાં આવે છે અને અવાર નવાર રોમેન્ટિક જેસ્ચરમાં કપલ જાેવા મળે છે. પરંતુ ફક્ત ઋત્વિક રોશન જ નહી પરંતુ તેની એક્સ વાઇફ સુજૈન ખાન પણ ડેટિંગના સમાચારોને લઇને ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર સમાચારો ફેલાઇ રહ્યા છે કે સુજૈન ખાન ફરી એકવાર પોતાનું ઘર વસાવવા જઇ રહી છે. સુજૈન ખાન અને અર્સલાન ગોની મોટાભાગે એકસાથે ચર્ચામાં રહે છે. તેમના ડેટિંગની અફવાઓ ગત થોડા સમયથી ચાલી રહી છે અને જાેકે બંને મોટાભાગે એકસાથે પાર્ટી કરતાં અથવા રજા માણતા જાેવા મળે છે. જાેકે તેમણે અફવાઓની ના તો પુષ્ટિ કરી છે અને ના તો ખંડન કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે જ્યાં એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં રહે છે. આ ઉપરાંત અતેમના ફોટા, પાર્ટીમાં હાજરી અને એકસાથે ટ્રાવેલ કરવું આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તાજેતરમાં જ સુજૈન અને અર્સલાનના જલદી જ લગ્નના બંધનમાં બંધાવવાના સમાચાર સામે આવ્યા. હવે, અર્સલાને સુજૈન સાથે પોતાના લગ્નની અફવાઓ વિશે રહસ્ય ખોલ્યું અને એક ઇન્ટરવ્યુંમાં કહ્યું ‘હું આ વિશે વાત કરવા માંગતો નથી. મને મારા અંગત જીવન વિશે વાત કરવી પસંદ નથી. મને ખબર નથી કે તેના વિશે કોણે વાત કરી છે. હું ઇસ્ટાગ્રામ પર સૌથી પહેલાં ટેગ જાેયો. આગળ તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે તેના વિશે કોણે લખ્યું છે . જેણે આ વિશે લખ્યું છે હું તેમને કહીશ કે મને જણાવે કે આ ર્નિણય કોણે અને ક્યારે અને ક્યાં લીધો. અર્સલાને કહ્યું કે તેમણે જાણી જાેઇને પોતાના અંગત જીવન વિશે વાત ન કરવાનો ર્નિણય કર્યો નથી કારણ કે તેમણે પોતાના અંગત જીવન વિશે વાત કરવી પસંદ નથી અને અહીં સુધી કે પોતાના મિત્રોની સાથે પણ અંગત જીંદગીની ચર્ચા પસંદ કરતા નથી. અર્સલાને કહ્યું કે તેમની અંગત જીંદગી સારી છે અને કામની જીંદગી પણ સારી છે. સાથે જ ના તો તે કંઇ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી અને ના તો પોતાની અંગત જીંદગીને લઇને કોઇના પ્રત્યે જવાબદેહ છે. અર્સલાને કહ્યું કે હું તેનો શો બનાવવા માંગતો નથી. હું તે વ્યક્તિ બનવા માંગતો નથી. એક અભિનેતાના રૂપમાં, મારી અંગત જીંદગી છે જે અમારી પાસે બચી છે. જાે હું તેની સાથે જઇ રહ્યો છું, તો હું તે પાર્ટીમાં તેનાથી અલગ થઇને એન્ટ્રી કરીશ નહી. જે છે સામે છે. આ ઉપરાંત એક્ટરે એ પણ જણાવ્યું કે સુજૈન અને અર્સલાન તાજેતરમાં જ રજાઓ માણવા માટે કેલિફોર્નિયા ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસારેગમપા માટે અનુ મલિકે ઈન્ડિયન આઈડોલને અલવિદા કહ્યું
Next articleકોઈ મિલ ગયાની બાળ કલાકાર ઈન્જેક્શન લઈ ગ્લેમરસ બની ગઈ