Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં અંધવિશ્વાસમાં ડૂબેલી માતાએ પોતાના 6 મહિનાના બાળકને પાવડો મારી હત્યા કરી

ઉત્તરપ્રદેશમાં અંધવિશ્વાસમાં ડૂબેલી માતાએ પોતાના 6 મહિનાના બાળકને પાવડો મારી હત્યા કરી

69
0

ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં રવિવારે એક માએ પોતાના જ 6 મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શંકા છે કે, અંધવિશ્વાસમાં ડૂબેલી મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની સૂચના મળતા જ પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે અને આ મામલે આગળની તપાસ કરી રહી છે. હકીકતમાં જોઈએ તો, આ સમગ્ર મામલો ગોસાઈગંજ પોલીસ ચોકી વિસ્તાર ઘનઉડીહ કુટિયા ગામનો છે. આ ગામના શિવકુમારની પત્ની મંજૂ ઉર્ફ રાધાએ પોતાના 6 મહિનાના બાળકને લઈને ગામની બહાર આવેલા મંદિરે પહોંચી અને મંજૂરી પોતાના બાળકને પાવડા મારીને કાપી નાખ્યો. આ ઘટનાની જાણ તતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. શંકા છે કે, અંધવિશ્વાસના કારણે મંજૂએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તો વળી સૂચના મળતા પોલીસે આરોપી માતા મંજૂની ધરપકડ કરી લીધી છે. સાથે જ આ મામલામાં તપાસ શરુ કરી દીધી છે. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને આ મામલો અંધવિશ્વાસનો હોવાનું કહી રહી છે. પોલીસ અધિકારી સોમેન વર્માએ જણાવ્યું છે કે, આજે ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા દ્વારા પોતાના જ બાળકને પાવડાથી કાપી નાખીને તેની હત્યા કરી દીધી હતી. જે બાદ પોલીસે આ મામલામાં કેસ નોંધીને આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજાપાનમાં સુખોઈ ઉડાવશે પ્રથમ મહિલા ફાઈટર પાયલટ અવની ચતુર્વેદી
Next articleદક્ષિણ સૂડાનના 6 સરકારી મીડિયા કર્મચારીઓને એક વીડિયો સર્કુલેટના આરોપમાં ધરપકડ કરી