Home ગુજરાત આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરના વેપારમાં લગભગ 50 ટકાનો વધારાનું અનુમાન

આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરના વેપારમાં લગભગ 50 ટકાનો વધારાનું અનુમાન

123
0

ગયા વર્ષની જેમ આ વર્ષે ચીની સામાનનો માત્ર વેપારીઓ નહિ સામાન્ય લોકોએ પણ પૂર્ણ રીતે બહિષ્કાર કર્યો

(જી.એન.એસ),તા.૨૩

નવીદિલ્હી,

આ વર્ષે હોળીના તહેવારથી દિલ્હી સહિત દેશભરના વેપારીઓમાં એક નવો ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો છે અને વેપારના ભવિષ્યને લઈ ફરી એક વખત નવી આશા જાગી છે. ગયા વર્ષના મુકાબલે આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરના વેપારમાં લગભગ 50 ટકાનો વધારાનું અનુમાન છે, જેના કારણે દેશભરમાં 50 હજાર કરોડથી વધારેનો વેપાર થયો છે. માત્ર દિલ્હીમાં જ તે 5 હજાર કરોડ રૂપિયાના વેપારની સંભાવના છે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચીની સામાનનો ના માત્ર વેપારીઓએ પણ સામાન્ય લોકોએ પણ પૂર્ણ રીતે બહિષ્કાર કર્યો છે. હોળીથી જોડાયેલા સામાનની દેશમાં આયાત લગભગ 10 હજાર કરોડની હોય છે, જે આ વખતે ના બરાબર છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ વખતે હોળીના તહેવારમાં વેચાણમાં ચીની સામાનનો વેપારીઓ અને ગ્રાહકોએ બહિષ્કાર કર્યો અને માત્ર ભારતમાં જ બનેલા નેચરલ રંગ અને ગુલાલ, પિચકારી, બલૂન, ચંદન, પૂજા સામગ્રી સહિત અન્ય સામાનનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે મિઠાઈઓ, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ આઈટમ્સ, ફૂલ અને ફળ, કપડા, એફએમસીજી પ્રોડક્ટ સહિતના અન્ય ઉત્પાદનની પણ માગ બજારોમાં જોવા મળી રહી છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ વર્ષે દિલ્હી સહિત દેશભરમાં મોટાપાયે હોળી સમારોહનું આયોજન થઈ રહ્યું છે, જેના લીધે બેન્કવેટ હોલ, ફાર્મ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ અને સાર્વજનિક પાર્કમાં હોળી સમારોહનું આયોજન થઈ રહ્યું છે. જેના કારણે બે વર્ષ બાદ સારો વેપાર જોવા મળી રહ્યો છે. માત્ર દિલ્હીભરમાં નાના-મોટા મળીને 3 હજારથી વધારે હોળી મિલન સમારોહ આયોજિત થઈ રહ્યા છે અને તમામ કાર્યક્રમોમાં સામેલ લોકો પર એક નવી ખુશી અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હોળીનો તહેવાર નજીક આવતા જ દિલ્હીના તમામ બજાર પુરી રીતે સજાવી દેવામાં આવે છે. તમામ બજારોમાં દુકાનો પર ગુલાલ અને પિચકારીની સાથે હોળીના અન્ય સામાનની ખરીદી માટે લોકોની ભીડ લાગે છે. મિઠાઈની દુકાનો પર ખાસ કરીને હોળીના દિવસે બનતા ઘુઘરા વધારે પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. ખંડેલવાલે કહ્યું કે દિલ્હીમાં 24 માર્ચે હોળી પ્રગટાવવામાં આવશે. જ્યારે ધૂળેટી 25 માર્ચે ઉજવવામાં આવશે. હોળીના રંગમાં બજાર પણ રંગાયેલા દેખાય છે. બજારમાં દુકાનો રંગબેરંગી ગુલાલ અને પિચકારીથી સજેલી છે. દરરોજ લોકોની ભીડ બજારમાં વધતી જાય છે. જેના કારણે બજારમાં લોકોને ચહેલ-પહેલ વધી છે. લોકો હવે જાગૃત થયા છે અને કેમિકલ યુક્ત ગુલાલની જગ્યાએ હર્બલ રંગ, અબીલ અને ગુલાલની માગ બજારમાં વધી છે. આવતીકાલે શનિવાર અને રવિવારે વેપારીઓને રેકોર્ડબ્રેક વેચાણ થવાનું અનુમાન છે. પ્રેશર વાળી પિચકારી 100 રૂપિયાથી 350 રૂપિયા સુધી ઉપલબ્ધ છે. તે સિવાય ફેન્સી પાઈપની પણ બજારમાં ધૂમ છે. બાળકો સ્પાઈડર મેન, છોટા ભીમની થીમ વાળી પિચકારી પસંદ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલજીત દોસાંજના લગ્નનું સત્ય આખરે આવ્યું સામે
Next articleભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં અબજો ડોલરનો વધારો