Home દેશ - NATIONAL આસામનાં ગુવાહાટી અને શિલોંગમાં ભૂકંપના જોરદાર આંચકા, આંચકાની તીવ્રતા 3.7

આસામનાં ગુવાહાટી અને શિલોંગમાં ભૂકંપના જોરદાર આંચકા, આંચકાની તીવ્રતા 3.7

38
0

ગુવાહાટી અને આસામના ઉત્તર પૂર્વીય વિસ્તારના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે ગયા શુક્રવારે આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નજીક હતું. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 હતી. બાંગ્લાદેશમાં સવારે 10.16 વાગ્યે ભૂકંપ આંચકો આવ્યો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી.ઉત્તર પૂર્વી રાજ્ય આસામમાં સવારે 10.15 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી મુજબ, આ ભૂકંપના આંચકા ગુવાહાટી સહિત અન્ય પૂર્વોત્તર ભાગોમાં પણ અનુભવાયા છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં હતું. 14 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 5.4-ની તીવ્રતાના ભૂકંપના એક દિવસ પછી, મંગળવારે અને બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશના જમ્મુ ક્ષેત્રમાં પાંચ આંચકા અનુભવાયા હતા, જેનાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આંચકાને કારણે વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે જમ્મુ ક્ષેત્રમાં ભૂકંપના આંચકાને કારણે કેટલીક સંપત્તિને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપશ્ચિમ બંગાળમાં TMC અને ISF સમર્થકો વચ્ચેની અથડામણ, 90થી વધુ ઘાયલ
Next articleબાંગ્લાદેશમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ,20 દિવસમાં 5મી વખત ધરા ધ્રૂજી