Home ગુજરાત આરોગ્યમંત્રી કુકાની કૂવાણી અને પ્રરજાવિરોધી ગુરૂ મંત્ર –ના હું તો નહીં બોલુ...

આરોગ્યમંત્રી કુકાની કૂવાણી અને પ્રરજાવિરોધી ગુરૂ મંત્ર –ના હું તો નહીં બોલુ ગમે તે થાય ને, મારે શું….?

733
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.21
ગુજરાતના આરોગ્યમંત્રી કુમાર કાનાણી (કુકા)એ રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કંઈ પણ થાય છતાં તેના વિશે જાણે કે નહીં બોલવાના રામમંદિરના સોગંદ લીધા હોય તેમ મિડિયાને અનુભવ થયો છે. તેઓ દરેક બાબતે ના, મારે કાંઇ કહેવું નથી…એમ જ રટણ કર્યા કરે છે.
વાત એમ છે કે ભાજપના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી આજે સુરતની સીવીલ હોસ્પ્ટિલમાં પહોંચ્યા અને આરોગ્ય સેવાને લગતી સાધનસામગ્રી કેમ રિપેર થતી નથી અને તંત્ર ઉલ્લુ બનાવે છે એમ કહીને સીવીલના સત્તાવાળાઓના ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપી હતી. આ અગાઉ વિજાપુર તાલુકાના મંડાલી ગામે જીએનએસ ન્યુઝ એજન્સી દ્વારા એક બોગસ ડોક્ટરનો ભંડાફોડ થયો ત્યારે તેના વિશે આરોગ્ય મંત્રી કુકાને મિડિયાએ પ્રતિભાવ આપવા માટે કહ્યું ત્યારે દરેક વખતે તેઓ એક જ રટણ કરતા રહ્યાં કે મારે કશું કહેવું નથી…..કોઇ બોગસ ડોક્ટર નિર્દોષ દર્દીઓના જીવન સાતે ચેડાં કરે અને તેની જાણ આરોગ્યમંત્રીને કરવામાં આવે ત્યારે મંત્રીએ તેના પર બોલવાને બદલે મારે કશું કહેવું નથી એમ કહે તો શું તેનો અર્થ એવો કરવો કે મંત્રી એમ ઇચ્છે કે બોગસ ડોક્ટરો ભલે પ્રેકટીસ કરે અને નિર્દોશ લોકો મર્યા કરે….?
ભાજપના ધારાસભ્ય સીવીલના સત્તાવાળાઓને ડોક્ટરોને ટાંટિયા તોડી નાંખવાની ખુલ્લેઆમ ધમકી આપે અને આરોગ્ય મંત્રી કુકાને મિડિયા પૂછે તો એમ જ કહે કે મારે આ અંગે કાંઇ કહેવું નથી….! આરોગ્યમંત્રીશ્રી, તમે ક્યા મુદ્દે ક્યારે બોલશો એ જરા કહેશો…જેથી મિડિયા એના વિશે તમને પૂછે….!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field