Home ગુજરાત આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી...

આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

41
0

(G.N.S) Dt. 12

ગાંધીનગર,

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. માત્ર ફરિયાદ નહીં કોંગ્રેસે ચૂંટણી પંચને પુરાવાના ભાગરૂપે કેટલાક વીડિયો પણ આપ્યા છે. દાવો છે કે આ વીડિયોમાં શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. મનિષ દોશીનો દાવો છે કે બનાસકાંઠના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચુંટણી પંચ માં માગ કરવામાં આવી છે કે શંકર ચૌધરી વિરૂદ્ધ ચૂંટણી પંચ કાર્યવાહી કરી યોગ્ય પગલા લેવામાં આવે. બીજી તરફ ભાજપે કોંગ્રેસના આરોપો ફગાવીને ખોટી રાજનીતિનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સંસદીય પ્રણાલીઓ મુજબ વિધાનસભાના અધ્યક્ષ કોઇ પક્ષના ના હોઈ શકે. શંકર ચૌધરીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસની ફરિયાદમાં ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદ SOG દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી ગેમીંગ ઝોન અને સટ્ટ બેટીંગમાં ઉપયોગમાં લેવાતા સીમ કાર્ડના કાળા કારોબાર ને અટકાવ્યો
Next articleનિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!