Home ગુજરાત આણંદથી વડોદરા રેલવે લાઈન પર 45 વર્ષીય યુવકનું ટ્રેનની અડફેટે મોત

આણંદથી વડોદરા રેલવે લાઈન પર 45 વર્ષીય યુવકનું ટ્રેનની અડફેટે મોત

35
0

આણંદથી વડોદરા રેલવે લાઈન પર બપોરના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે 45 વર્ષનો યુવક આવી જતા તેનું મોત થયું હતું. આ અંગે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદથી વડોદરા રેલવે લાઈન ઉપર ગત 16મી ડિસેમ્બર,22ના રોજ બપોરના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે એક 45 વર્ષનો યુવક આવી ગયો હતો. જેથી અજાણ્યા યુવકને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ આણંદ મંગળપુરા સાત ઓરડી પાસે રહેતાં જીતેન્દ્રકુમાર અમરતભાઈ વસાવાએ આણંદ શહેર પોલીસ મથકે કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે અજાણ્યા યુવકના મૃતદેહનો કબ્જે લઈને જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ આણંદ શહેર પોલીસે આ અંગે અપમૃત્યુ નોંધ દાખલ કરી અજાણ્યા યુવકના વાલી વારસોની શોધ આરંભી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંધ્રપ્રદેશમાં થિયેટરમાં એ જ ફિલ્મ જોતી વખતે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!
Next articleખંભાતમાં કાર ઝાડ સાથે અથડાતા એકનું ઘટનાસ્થળે મોત, 3 મહિલાને પહોંચી ઈજા