Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ આગ્રામાં સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકાયું, પોલીસ કરી 1 યુવકની ધરપકડ 

આગ્રામાં સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકાયું, પોલીસ કરી 1 યુવકની ધરપકડ 

19
0

(જી.એન.એસ) તા. 4

આગ્રા,

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક જાહેર સભા દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકવામાં આવ્યું હતું, સ્વામી પ્રસાદ મૌર્ય હંમેશા પોતાના તીખા અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેલા છે. મૌર્ય એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે આચનકજ સસમે જનતા માં બેઠેલો એક યુવક ઊભો થયો અને સ્વામી પ્રસાદ પર જૂતું ફેંક્યું હતું. યુવકે બીજું જૂતું પણ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી કાળો ઝંડો કાઢ્યો અને મુર્દાબાદના નારા લગાવ્યા. સ્થળ પર હાજર લોકોએ યુવકને માર માર્યો હતો. યુવકની ઓળખ હિન્દુ મહાસભાના હોદ્દાદાર તરીકે કરવામાં આવી છે. આ ઘટના માં પોલીસ જૂતું ફેંકનાર યુવક ની ધરપકડ પણ કરી લીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ પરત કરી: ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સુચરિતા મોહંતી
Next articleસુપ્રીમ કોર્ટે કેન્દ્રને બીએનએસ ની કલમ 85 અને 86 માં જરૂરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું