Home ગુજરાત અ’વાદઃ ટ્રકની ટક્કરે કિશોરનું મોત, ગુનો નોંધવા મુદ્દે પોલીસ અને ટ્રાફિક વચ્ચે...

અ’વાદઃ ટ્રકની ટક્કરે કિશોરનું મોત, ગુનો નોંધવા મુદ્દે પોલીસ અને ટ્રાફિક વચ્ચે વિવાદ

367
0

જી.એન.એસ, તા.૧૩ અમદાવાદ
ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં ટ્રકની ટક્કરે એક કિશોરનું મોત થયું છે. ઓઢવ વેપારી મહામંડળ કર્ણાવતી ટ્રાન્સપોર્ટ નગરની આ ઘટનામાં 15 વર્ષના કિશોરના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, પાર્કિગ બાબતે માથાકુટ બાદ અંગત અદાવત રાખી ટ્રક ચાલકે કિશોર પર ટ્રક ચઢાવીને તેની હત્યા કરી દીધી છે. પરિવારના આક્ષેપ બાદ હાલ પોલીસ અને ટ્રાફિક ડિવિઝન વચ્ચે ગુનો નોંધવા બાબતે વિવાદ થયો છે.
ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દેવાની આપી હતી ધમકી
મૃતક કિશોરનું નામ શિવકેશ ગુર્જર (16-વર્ષ) છે, તેણે હમણાં જ ધો-10ની પરીક્ષા આપી હતી. કિશોરના પરિવારના આક્ષેપ પ્રમાણે આખો પરિવાર અહીં કર્ણાવતી ટ્રાન્સપોર્ટ નગરના પ્લોટમાં રાત્રે સુતો હોવાથી ટ્રક ચાલકને ટ્રક પાર્ક ન કરવા માટે કહ્યું હતું. જે મુદ્દે માથાકુટ થતાં ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દેવાની ધમકી આપી હતી. ત્યારે આજે સવારે કિશોર એકલો સુતો હતો ત્યારે ટ્રક ચાલકે તેને અડફેટે લેતા તેનું મોત થયું હતું.
અક્સમાત થયાને એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અકસ્માતનો ગુનો નોંધવો કે હત્યાનો ગુનો નોંધવો તે બાબતે કોઈ નિર્ણય આવી શક્યો નથી. પોલીસે ટ્રક ચાલકને તો ઝડપી પાડ્યો છે, જોકે, ગુનો નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથધરાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field