Home દેશ - NATIONAL અયોધ્યામાં રામ મંદિર બનાવવા મુંબઈમાં શરૂ થઈ જબરદસ્ત હિલચાલ

અયોધ્યામાં રામ મંદિર બનાવવા મુંબઈમાં શરૂ થઈ જબરદસ્ત હિલચાલ

429
0

(જી.એન.એસ), તા.૧૦
ઉત્તર પ્રદેશમાં નવી સરકારની સ્થાપના થઇ ત્યારબાદ ફરી રામ મંદિરનો મુદ્દો ચગ્યો છે અને આ જ સમયે સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અદાલતની બહાર બંને પક્ષો વચ્ચે સહમતીથી આ મામલાનો નિવેડો લાવવામાં આવે એવો નિર્દેશ ન્યાયમૂર્તિઓએ કર્યો હતો. આ જ મુદ્દાને લઇને મુંબઈમાં પણ પહેલ શરૂ કરવામાં આવી છે અને અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. દિલ્હી અને મુંબઈ સહિત દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત અગ્નિવીર સંસ્થા દ્વારા સંબંધિત રાજ્યોમાં આ જ પ્રકારની માગણી કરવામાં આવી છે.
આ મુદ્દો સરકાર સુધી પહોંચે અને સરકાર ઝડપથી આ મામલે નિર્ણય લે તેમ જ વાટાઘાટો શરૃ કરે એવી માગણી સાથે અગ્નિવીર સંસ્થાનું પ્રતિનિધિમંડળ ગોરેગાંવમાં સાધ્વી ઋતંભરાને મળ્યું હતું. આ માટે મુંબઈમાં ‘રામ સાધના’નું આયોજન પણ કરવામાં આવશે અને સરકાર આ મામલાને પ્રાથમિકતા આપે એવી વિનંતી કરવામાં આવશે.
હળમળીને આ મામલામાં ઉકેલ કાઢવાની સુપ્રીમ કોર્ટની આ સલાહ પછી પણ બીજેપીના વિધાનસભ્ય રાજા સિંહે હાલમાં જ આ મામલે વિસ્ફોટક નિવેદન આપ્યું છે. રાજા સિંહ ભૂતકાળમાં પણ આવા નિવેદનો આપી ચૂક્યા છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદના બીજેપીના વિધાનસભ્ય રાજા સિંહે કહ્યું છે કે ‘મારું નિવેદન એ લોકો માટે છે જે એમ કહે છે કે રામમંદિરનું નિર્માણ થશે તો ગંભીર પરિણામ ભોગવવું પડશે. અમે તેમના આવા નિવેદનની રાહ જોઈ રહ્યા છીએ જેથી તેમનું માથું કાપી શકીએ.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field