Home મનોરંજન - Entertainment અમિતાભ બચ્ચનને 16મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી

અમિતાભ બચ્ચનને 16મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી

18
0

(જી.એન.એસ),તા.૧૭

મુંબઈ,

અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મની જેમ ‘કૌન બનેગા કરોડપતિ’ની પણ આતુરતાથી રાહ જોવાતી હોય છે. અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘ કૌન બનેગા કરોડપતિ’ની 15 સિઝન આવી ચૂકી છે. ત્યારબાદની સિઝનમાં અમિતાભ બચ્ચન ન દેખાય તેવી શક્યતા હતી. જો કે અમિતાભ બચ્ચનને 16મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી છે. નવી સિઝન માટે રજિસ્ટ્રેશનની તારીખો અંગે વાત કરતાં અમિતાભ બચ્ચને પ્રોમો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર થયેલા આ પ્રોમોમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, કૌન બનેગા કરોડપતિ 15ને ભારે મનથી અલવિદા કહ્યું હતું.

આમ કરવાનું ઘણું કઠિન હોય છે. જો કે કૌન બનેગા કરોડપતિ 16નું રજિસ્ટ્રેશન 26 એપ્રિલે રાત્રે 9થી શરૂ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પાછલા બે દાયકાથી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે જોડાયેલા છે. આ શોની ત્રીજી સિઝનને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. તે સિવાયની દરેક સિઝનમાં અમિતાભ બચ્ચને જ ‘દેવીયોં ઔર સજ્જનો’ સંબોધન સાથે ઓડિયન્સને જકડી રાખ્યું છે. 16મી સિઝનનું પ્રમોશન શરૂ થતાં અમિતાભ બચ્ચનના અવાજમાં આ સંબોધન ફરી સાંભળવા મળતાં ઓડિયન્સમા ઉત્સુકતા જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિલીઝ પહેલાં જ ‘પુષ્પા 2’એ રૂ.160 કરોડની કમાણી કરી
Next articleબિગ બજેટ તેલુગુ ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારનો સમાવેશ થયો