Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ચાર રથોનું પ્રસ્થાન, કુલ...

અમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ચાર રથોનું પ્રસ્થાન, કુલ ૯ રથો અમદાવાદ જિલ્લાનાં ૪૬૯ ગામોમાં ફરશે

18
0

(G.N.S) dt. 30

અમદાવાદ

સાણંદના સનાથલ, વિરમગામના જખવાડા, ધોળકાના બદરખા અને ધંધુકાના આકરુ ખાતેથી શરૂ થઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રા

  • *
    વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદ અને વક્તવ્યનું લાઇવ ટેલિકાસ્ટ કરાયું
  • *
    સાણંદના સનાથલ ખાતે અગ્ર સચિવ શ્રી મૂકેશ કુમાર, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જિલ્લાવ્યાપી પ્રારંભ
  • *
    ડિજિટલ ઇન્ડિયા તથા નલ સે જલ જેવી યોજનાઓમાં ૧૦૦% લક્ષ્યસિદ્ધિ હાંસલ કરવા માટે સનાથલ ગ્રામ પંચાયતનું અગ્ર સચિવ શ્રીના હસ્તે સન્માન કરાયું

અમદાવાદ જિલ્લામાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજે સાણંદના સનાથલ,તતતત વિરમગામના જખવાડા, ધોળકાના બદરખા અને ધંધુકાના આકરુ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ચાર રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કુલ ૯ રથો અમદાવાદ જિલ્લાનાં ૪૬૯ ગામોમાં ફરવાના છે.

સાણંદના સનાથલ ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મૂકેશ કુમાર, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસંતબા વાઘેલા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે વગેરે મહાનુભાવોની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ફરી રહેલા રથો થકી વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તથા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને દેશવાસીઓને વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ ‘નમો ડ્રોન દીદી’ યોજના લૉન્ચ કરી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવો અને ગ્રાજનો દ્વારા ડ્રોનનું નિદર્શન નિહાળવામાં આવ્યું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત મહાનુભાવો તથા શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત માટે મહાનુભાવો સહિત સનાથલના ગ્રામજનોએ વિકસિત ભારત માટે સામૂહિક સંકલ્પ લીધા હતા.

‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના સ્થાનિક લાભાર્થીઓ દ્વારા પોતાનો સુખદ અનુભવ વર્ણવીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉજ્જવલા, આયુષ્યમાન ભારત, પોષણ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ અપાયા હતા. સફળ મહિલાઓ તથા રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે રમીને ગૌરવ અપાવનારા સનાથલના રમતવીરોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડિજિટલ ઇન્ડિયા તથા નલ સે જલ જેવી યોજનાઓમાં ૧૦૦% લક્ષ્યસિદ્ધિ હાંસલ કરવા માટે અગ્ર સચિવ શ્રીના હસ્તે ગ્રામ પંચાયતના તમામ સભ્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગ રૂપે હેલ્થ મેળાનું પણ સનાથલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ગ્રામજનોએ લીધો હતો. આ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરીને લોકોને જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ આપવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ દરેક સ્ટૉલની મુલાકાત લીધી હતી.

પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે નિષ્ણાત દ્વારા વક્તવ્ય ઉપરાંત શાળાના બાળકો દ્વારા ‘ધરતી કરે પુકાર…’ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બાળકો માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં 25 જાન્યુઆરી 2024 સુધી વિવિધ તાલુકાઓમાં ફરીને વિકસિત ભારત રથો કેન્દ્ર સરકારની 17 જેટલી યોજનાઓની વિગતો, તેના લાભો, તેના પોર્ટલ કે નોંધણી અંગેની વિગતો લોકો સુધી પહોંચાડશે. વિવિધ ગામોમાં વિકસિત ભારત રથના આગમન સહિત વિવિધ યોજનાઓના કેમ્પ, યોજનાઓના લાભો નું વિતરણ, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક કૃષિના પ્રચાર અર્થેના કાર્યક્રમો, સફળ મહિલાઓ અને રમતવીરોના સન્માન, સેવા સેતુ, યુવાઓની ભાગીદારી માટેનો માય ભારત કેમ્પ, ગ્રામ સભા, સ્વચ્છતા અભિયાન, ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓના અભિપ્રાય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદહેગામ તાલુકાના કડાદરા અને ઝાક ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ લાભાર્થીઓના ઘર આંગણે સરકારી યોજનાઓના લાભની વણથંભી વણઝાર લઈ પહોંચી
Next articleઆયુર્વેદિક સીરપની આડમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વ્યક્તિઓને છોડવામાં આવશે નહીં- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ