Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં...

અમદાવાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહ યોજાયો

81
0

(G.N.S) dt. 11

અમદાવાદ,

અમદાવાદ ના કઠવાડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં યોજાયો.

અમદાવાદ ડાયમંડ એસોશિયેશન મેડિકલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સારવાર અને શિક્ષણ ક્ષેત્રે સુંદર કામગીરી થઈ રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાના સુશાસનમાં દેશભરમાં સુગ્રથિત મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. છેલ્લાં સાત દશકમાં ન થયું હોય એટલું કામ છેલ્લાં એક દશકમાં મોદીજીના સુકાનમાં થયું છે. યોગથી લઈને આયુષ્યમાન કાર્ડ સુધી આરોગ્યના અનેકવિધ આયામો સામાન્યજનની સેવામાં ઉપલબ્ધ બન્યા છે. સરકારના પ્રયાસોમાં સામાજિક સંસ્થાઓનો પણ સુંદર સહયોગ ભળ્યો છે, જેના લીધે જનસુખાકારીના કામોમાં બમણી ગતિ આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન 12 એપ્રિલ, 2024ના રોજ બહાર પાડવામાં આવશે
Next articleપૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ