Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં વેપારીઓ જીએસટી ક્રેડિટ લેવાની જાહેરાત નહીં થતાં પરેશાન

અમદાવાદમાં વેપારીઓ જીએસટી ક્રેડિટ લેવાની જાહેરાત નહીં થતાં પરેશાન

30
0

વેપારીઓએ જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તેવા કિસ્સામાં સપ્ટેમ્બરમાં ભરવાના થતાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. જે અંગેની કેન્દ્ર સરકારે મુદત વધારવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં નહીં આવતા વેપારીઓની સાથે ટેક્સ કન્સલ્ટન્ટ પણ મુંઝવણમાં મુકાયા છે.

નાણાકીય વર્ષ દરમિયાન જે કરદાતાઓને જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઇ હોય તેમણે સપ્ટેમ્બરના રિટર્નમાં ગણતરી કરીને લઇ શકે છે. જેને વેપારીઓ સપ્ટેમ્બર માસના રિટર્નમાં એટલે કે ૨૦ ઓકટોબર પહેલા ભરવામાં આવતા રિટર્નમાં આઇટીસી ક્રેડિટ અંગે જાણ કરવાની હોય છે.

આ અંગે બે માસની મુદત વધારવાની જાહેરાત જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. જેના કારણે કરદાતાઓ અને વેપારીઓએ ડિસેમ્બર માસમાં રિટર્ન ફાઇલ કરી ક્રેડિટ લઇ શકે તેવો ર્નિણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં ન આવતા વેપારીઓની બાકી રહી ગયેલી ક્રેડિટ લેવા માટે મુંઝવણમાં મુકાયા છે.

જીએસટી ડિપાર્ટમેન્ટ પાસે પડેલી અમારી ક્રેડિટ લેવાની હોય તો મુદત બાદ પણ રાહ જાેવી પડે છે. જ્યારે એડવાન્સ ટેક્સ માટે ઉતાવળ કરે છે. બે મહિનાનો વધારો કરાયો હોવા છતાં હજુ સુધી પરિપત્ર થયો નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક સ્તરે પ્રતિકૂળ અહેવાલો વચ્ચે સ્થાનિક શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Next articleઅમદાવાદમાં સ્ત્રીના અવાજમાં વાત કરી સંબંધ રાખવા દબાણ કરનારો શખ્શ ઝડપાયો