Home Uncategorized અપરણિત મહિલાઓને ખાસ વાંચવા જેવો છે આ અમદાવાદનો કિસ્સો

અપરણિત મહિલાઓને ખાસ વાંચવા જેવો છે આ અમદાવાદનો કિસ્સો

341
0

(જી.એન.એસ), તા.૬
અમદાવાદમાં રહેતી મહિલાને એક યુવકે પોતે અપરણિત હોવાનું કહીને તેની સાથે લગ્ન કરી મહિલાનું ફાર્મ હાઉસ વેચાવીને તેના પૈસા પડાવી લીધા ઉપરાંત તેની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ કરીને માર મારવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મહિલા એસજીહાઈવે પર આવેલા પોતાની માતાના ફાર્મહાઉસમાં રહે છે. વર્ષ 2005માં મેમનગર વિસ્તારમાં કૃષ્ણકુમાર ગોપાલદાસ અગ્રવાલ સાથે તે મળ્યાં હતાં. મુલાકાતના થોડા સમય પછી બંન્ને વચ્ચે મિત્રતા થતાં કૃષ્ણકુમારે મહિલાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો. બંન્નેએ મંદિરમાં સાદાઈથી લગ્ન કરી લીધા હતાં. લગ્નના થોડા જ સમયમાં કૃષ્ણકુમારે મહિલાને તેની માતાનું ફાર્મહાઉસ વેચવાની વાત કરી હતી. મહિલાની પરવાનગી વગર કૃષ્ણકુમારે તેનું ફાર્મહાઉસ વેચીને તેમાંથી આવેલા પૈસા પડાવી લીધા હતાં.
આ ઉપરાંત મહિલાએ ફરિયાદ કરી હતી કે બંન્ને વચ્ચે અનેક વાર બોલાચાલી પણ થતી રહેતી, મારામારી પણ થઈ હતી. વારંવાર મહિલાની ના છતાં પણ દુષ્કર્મો કર્યા હતાં. લગ્નના થોડા વર્ષો પછી જાણ થઈ હતી કે કૃષ્ણકુમાર પરિણીત છે અને બંન્ને વચ્ચે આ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મહિલાને કૃષ્ણકુમારે મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જેને પગલે મહિલાઅ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરેન્દ્રનગરઃ ૪ વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું, તંત્રનું રેસ્ક્યું ઓપરેશન ચાલુ
Next articleJ&K: શ્રીનગરમાં 10 વર્ષ બાદ એપ્રિલમાં બરફવર્ષા; ભારે વરસાદથી પૂરની સ્થિતિ