Home ગુજરાત ઉત્તર ગુજરાત અંજારમાં વેપારીઓ ગાળો બોલવાની ના પાડી તો ૩ શખ્સોએ હુમલો કરી દુકાનમાં...

અંજારમાં વેપારીઓ ગાળો બોલવાની ના પાડી તો ૩ શખ્સોએ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી

39
0

અંજાર શહેરમાં રામદેવપીર મંદિર પાસે રાત્રિએ ત્રણ શખ્સોએ એક વેપારી પર જીવલેણ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલાની વિગત એવી છે કે, અંજાર શહેરના રામદેવપીર મંદિર પાસે પેકેજ્ડ વોટરના પ્લાન્ટમાં ફરિયાદી મંગળ વેરસી ધુઆ અને તેનો મિત્ર કામ કરી રહ્યા હતા.

આ સમયે અહેમદ ઉર્ફે ઈઝુ, સદામ અને કારિયો નામના શખ્સો ગાળો બોલતા હોય સંજયે ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી અને છરી વડે હુમલો કરતા નાસભાગ મચી હતી. ત્રણ શખ્સોએ જાહેરમાં છરી અને લાકડી વડે આતંક મચાવતા વેપારી અને તેનો મિત્ર જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા.

ત્રણેય શખ્સો હુમલો કરી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ… નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleજુનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને મંદિરના મહંતે જાતે જ લમણામાં ગોળી મારી