Home ગુજરાત ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ નાં દિવસે રોજગાર ભરતીમેળો તેમજ...

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ નાં દિવસે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે

42
0

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૭/૦૪/૨૦૨૫ને ગુરુવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, “સી”વીંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ,  આઈ.ટી.આઈ(ડીઝલ મિકેનિક & મિકેનિક મોટર વિહિકલ), ડિપ્લોમા (મિકેનિકલ & ઓટોમોબાઈલ) તથા કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in  ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF૯૧૨૦૫૨૯૮૩છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી, લાગુ પડતી જાતિ અંગેનુ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.