Home દેશ - NATIONAL કર્ણાટક હાઈકોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને દંડ ફટકાર્યો

કર્ણાટક હાઈકોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને દંડ ફટકાર્યો

28
0

(જી.એન.એસ),તા.૦૬

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી હતી અને તેમના પર દંડ પણ લગાવ્યો હતો. કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે 2022માં તેની સામે દાખલ કરાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં, કોર્ટે ઠપકો પણ આપ્યો છે અને કાયદાની નજરમાં બધાને સમાન ગણાવ્યા છે. કોર્ટે ટિપ્પણી કરી કે જો જનતાના પ્રતિનિધિઓ નિયમોનું પાલન નહીં કરે તો જનતા શું કરશે હાઈકોર્ટે મુખ્યમંત્રીને 6 માર્ચે જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં હાજર થવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટે સીએમ સિદ્ધારમૈયા, રાજ્યના કેબિનેટ મંત્રીઓ એમબી પાટીલ, રામલિંગા રેડ્ડી અને કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સિદ્ધારમૈયા ઉપરાંત, હાઈકોર્ટે પરિવહન પ્રધાન રામલિંગા રેડ્ડીને 7 માર્ચે, કોંગ્રેસના કર્ણાટકના પ્રભારી સુરજેવાલાને 11 માર્ચે અને ભારે ઉદ્યોગ પ્રધાન એમબી પાટીલને 15 માર્ચે હાજર થવા જણાવ્યું છે. વર્તમાન મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના નેતાઓએ એપ્રિલ 2022માં કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના મૃત્યુના સંબંધમાં કથિત રીતે કેએસ ઇશ્વરપ્પાની ધરપકડની માંગ સાથે વિરોધમાં ભાગ લીધો હતો. 2022માં કોંગ્રેસના નેતાઓ પર રસ્તાઓ અવરોધિત કરવાનો અને જનતા માટે મુશ્કેલી ઊભી કરવાનો આરોપ લગાવતા કેસ નોંધવામાં આવ્યો હતો. સીએમ સિદ્ધારમૈયા વતી હાજર રહેલા વકીલોએ હાઈકોર્ટમાં અપીલ દાખલ ન થાય ત્યાં સુધી આદેશને સ્થગિત રાખવા માટે હાઈકોર્ટને વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે જો જનપ્રતિનિધિ નિયમોનું પાલન ન કરે તો શું જનતા તેનું પાલન કરશે? રસ્તાઓ રોકીને વિરોધ કરવાથી લોકોને મુશ્કેલી પડે છે. કોર્ટે વધુમાં કહ્યું કે અમે રસ્તાઓ પર રોક લગાવી શકીએ નહીં. લોકપ્રતિનિધિઓએ કાયદાનું પાલન કરવું જોઈએ. વડાપ્રધાન અને ટપાલી બંને કાયદા સમક્ષ સમાન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ થયું
Next articleવડાપ્રધાન મોદીએ ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી