(જી.એન.એસ),તા.૨૫
મહારાષ્ટ્ર
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કાશ્મીર હિંદુઓની હત્યા બાદ હિજરતને દર્શાવવામાં આવી છે. 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મને લઈને રાજકીય પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે. મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત બીજેપી શાસિત કેટલાક રાજ્યોએ ફિલ્મને મનોરંજન કરમાંથી મુક્તિ આપી છે. મહારાષ્ટ્ર ભાજપે ગુરુવારે સત્તારૂઢ શિવસેના પર નિશાન સાધ્યું હતું. નાસિકની કેટલીક મહિલાઓને એક સિનેમા હોલમાં હિન્દી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે પ્રવેશ કરતા પહેલા કથિત રીતે ભગવા સ્ટોલ ઉતારવા માટે કહ્યું. વિપક્ષ ભાજપ રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરે પાસેથી જાણવા માંગે છે કે શું આ તેમનું હિન્દુત્વનું રૂપ છે. બુધવારે, કેટલીક મહિલાઓને કથિત રીતે નાસિકના સિનેમા હોલમાં વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ જોવા માટે થિયેટરની અંદર જતા પહેલા ભગવા સ્ટોલને ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઘટના પર ટ્વિટ કરીને, રાજ્ય ભાજપ એકમે જણાવ્યું હતું કે નાસિકમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે કેસરી સ્ટોલ પહેરેલી મહિલા પ્રેક્ષકોને સ્ટોલ બહાર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. શું આ તમારું હિન્દુત્વનું સ્વરૂપ છે, ઉદ્ધવજી? ભાજપે ઠાકરેના કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરતા પૂછ્યું. ભાજપે તેના ટ્વિટમાં શિવસેનાની હિન્દુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર શંકા કરવા માટે ‘ગ્રીન બ્લડ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી હવે ‘જનાબ સેના’ બની ગઈ છે. મળતી માહિતી મુજબ આ દરમિયાન મારામારીનો મામલો પણ સામે આવ્યો છે. તે જ સમયે, જૂથની એક મહિલાએ જણાવ્યું કે તેઓ લોકોને ફિલ્મ જોવામાં મદદ કરી રહ્યા છે. પરંતુ તેમના જૂથ પાસે કોઈપણ પ્રકારનો કોઈ બિલ્લો કે પ્રતીક ન હતો. મહિલાએ એમ પણ જણાવ્યું કે ભગવા સ્ટોલ આપવા પાછળ અન્ય કોઈ હેતુ ન હતો. એક મહિલાએ જણાવ્યું કે મહિલા મંડળની તમામ મહિલાઓએ કેસરી રંગના સ્ટોલ પહેર્યા હતા પરંતુ તેઓએ ગેટ પર જ અમારા સ્ટોલ ઉતારાવી દીધા. બીજી તરફ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રમોદ ચૌહાણે કહ્યું કે અહીં વિવાદ થયો હતો જે બાદમાં સમાપ્ત થઈ ગયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.