Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

131
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૨૨૩.૧૫ સામે ૫૯૭૩૧.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૨૯૦.૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૧.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૧.૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૦૧.૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૬૦.૯૫ સામે ૧૭૮૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૮૫.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૧.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૯૯.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત આજે કડાકા સાથે થઈ હતી. દેશમાં ઓમિક્રોનના કેસમાં ઝડપી વધારો થવા છતાં સ્થાનિક અને વિદેશી ફંડો તેમજ ખેલાડીઓની નવી લેવાલી પાછળ ગઇકાલે શેરબજારમાં તેજીની ચાલ આગળ વધતા સેન્સેક્સે પુન: મહત્વની એવી ૬૦૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. જોકે આજે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોન પ્રસરતા લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો અમલી બન્યાના અહેવાલે આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

કોરોના – ઓમિક્રોનના વિશ્વભરમાં થયેલા વિસ્ફોટની સાથે ભારતમાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી હોઈ અનેક લોકો સંક્રમિત થતાં અને ખાસ મહારાષ્ટ્રમાં મુંબઈમાં એક દિવસમાં ૧૧૦૦૦ જેટલો લોકો કોરોના પોઝિટીવ આવ્યા સાથે દિલ્હી સહિતના રાજયોમાં પણ પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોઈ લોકડાઉન સહિતના આકરાં પગલાં તોળાઈ રહ્યા હોવા હોવાથી સાવચેતી જોવા મળી હતી.ફંડોએ શેરોમાં આજે આઇટી, ટેક, રિયલ્ટી શેરોમાં શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જ્યારે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટમાં શેરોમાં બે તરફી અફડા તફડી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ અને સીડીજીએસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૧ અને વધનારની સંખ્યા ૧૯૮૧ રહી હતી, ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નવેમ્બરમાં દસ માસની ઊંચી સપાટીએ રહ્યા બાદ ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ડિસેમ્બરમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ રહી હતી. કોરોનાની સૂચિત ત્રીજી લહેરથી ઉપભોગ માગ ઘટશે તેવા ભયને પરિણામે ઉત્પાદન પ્રવૃત્તિ પર અસર પડી છે. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે નવેમ્બરમાં ૫૭.૬૦ હતો તે ડિસેમ્બરમાં ઘટી ૫૫.૫૦ રહ્યો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. ખરીદીનું સ્તર વધતા કંપનીઓ સ્ટોક ઊભો કરી રહી હોવાનું જોવા મળ્યું હતું તથા  વેપાર માનસ મજબૂત બન્યું હતું પરંતુ પૂરવઠા સાંકળ, કોવિડ-૧૯ની ચિંતા તથા ફુગાવાજન્ય દબાણને પગલે માનસ ફરી નબળું પડયું છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

કાચા માલના ભાવમાં જોરદાર વધારો થયો છે તેમ છતાં, ભાવ વધવાની ગતિ ત્રણ મહિનાની નીચી સપાટીએ રહી હતી. આને કારણે કંપનીઓએ ભાવમાં મર્યાદિત વધારો કરી ગ્રાહકો પર બોજ પસાર કરવાનું ટાળ્યું હતું. ભાવ વધારો એક વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. માંગની મજબૂત સ્થિતિ તથા નવા ગ્રાહકોના ઉમેરા સાથે ઉત્પાદકોને  ઘરઆંગણે તથા વિદેશમાંથી નવા ઓર્ડરો મળવામાં ગતિ જોવા મળી હતી. આમ છતાં, ઉત્પાદનમાં વૃદ્ધિ ત્રણ મહિનાની નીચી સપાટીએ રહી હતી. ડિસેમ્બરનો પીએમઆઈ કામકાજની એકંદર સ્થિતિમાં સતત છઠ્ઠા મહિને સુધારો થયાનું સૂચવે છે. ૨૦૨૨માં ઉત્પાદનમાં વધારો ચાલુ રહેશે એવી ઉત્પાદકોને આશા છે, પરંતુ મહામારીમાં ફરી વધારો તથા ફુગાવાજન્ય દબાણ અને પૂરવઠા સાંકળમાં ખલેલને પરિણામે વેપાર માનસ સાધારણ નબળું પડયું હતું.

Previous articleતણાવ હવે આપણા દેશમાં એક મોટી સમસ્યા છે.
Next articleઓઇલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.