Home ગુજરાત જુનાગઢનો ભવનાથનો મેળો ૨૦ લાખ વર્ષ પહેલાં શરૂ થયો હતો

જુનાગઢનો ભવનાથનો મેળો ૨૦ લાખ વર્ષ પહેલાં શરૂ થયો હતો

132
0

(જી.એન.એસ),તા.૨૬


જૂનાગઢ

Inndrabharti Bapu image From Google


બલિરાજા પાતાળમાં ગયા અને વામન ભગવાન સહિત બીજા દેવો ૩-૩ મહિના તેમની સેવામાં રોકાયા. એમાં શિવજી જ્યારે બલિરાજા પાસેથી મુક્ત થઇને પાતાળમાંથી બહાર આવ્યા અને ગીરનારમાં તેમણે આહલેક જગાવી. જ્યાં જમીન પર પહેલો પગ મૂક્યો એ સ્થળ એટલે ભવનાથ. એના પછી અત્રિ ઋષિના પુત્ર ગુરૂ દત્તાત્રેય ગીરનાર પર આવ્યા અને મેળો શરૂ કરાવ્યો. એ ત્રેતાયુગનો સમય હતો. અમારી બારોટની વંશાવળી પ્રમાણે એ ઘટનાને ૨૦ લાખ વર્ષ અને યુગ વંશાવળીને જાેતાં ૨૪ હજાર વર્ષ થાય. અમે વંશાવળી બોલવાની હોય ત્યાં તેઓ અતિશયોક્તિ સાથે ઉલ્લેખ કરીએ છીએ. એમ વહીવંચા બારોટ શંભુજીરાવ કહે છે. તેઓ વધુમાં ઉમેરે છે, ગુરૂ ગોરખનાથ, મછંદરનાથ, જાલંધરનાથ પણ મેળામાં આવ્યાનો ઉલ્લેખ છે. તો આદિશંકરાચાર્યએ ભારતભ્રમણ કર્યું એ વખતે તેઓ પણ મેળામાં આવ્યાની દંતકથા અમે અમારા પૂર્વજાે પાસેથી સાંભળતા આવ્યા છીએ. તો નાથ સંપ્રદાયના ઓઘડનાથજી ૭૦૦ વર્ષ પહેલાં મેળામાં આવ્યાનું અમારી અતિશયોક્તિભરી દંતકથામાં ઉલ્લેખ છે.તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના ઇતિહાસભવનના અધ્યક્ષ ડો. વિશાલ જાેષી કહે છે, સુભદ્રાહરણમાં વનમહોત્સવના દિવસો મહાવદ નોમથી તેરસ છે. અને તેનું હરણ પણ શિવરાત્રિ મહોત્સવમાંથી થયાનું એક અનુમાન છે. રામાયણના કિષ્કિંદ્યાકાંડમાં સીતાજીને શોધવા જ્યારે ભગવાન રામ પોતાની સેના સાથે ઉજ્જયંત એટલેકે ગીરનાર પર્વત પાસે આવેલી ત્યારે ભગવાને સેનાને એવી સુચના આપી હતી કે, આ કોઇ સામાન્ય પર્વત નથી. તેના આરોહણ પહેલાં પર્વતની પૂજા કરી મંજૂરી મેળવવી પછીજ તેનું આરોહણ કરવું. કારણકે, આ પર્વત પોતેજ શિવ સ્વરૂપ છે. ભવનાથ ખાતે મહા શિવરાત્રીનો મેળો શરૂ થતા મહાનગરપાલિકા દ્વારા દત્તચોક ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરાયું છે. મેયર ગીતાબેન પરમાર, કમિશ્નર રાજેશ તન્ના, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશ પણસારા, શાસકપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી, શૈલેષભાઇ દવે વેગેરેની હાજરીમાં માહિતી કેન્દ્ર શરૂ કરાયું હતું . આ તકે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ સહિતના સંતોની પણ ઉપસ્થિતી રહી હતી. મેળામાં વિખુટા પડેલા લોકોને પરિવાર સાથે મિલાવવા તેમજ ઉતારાની વીજળી, પાણી, આરોગ્ય, સફાઇની ફરિયાદોનો માહિતી કેન્દ્રમાં તુરત નિકાલ કરવામાં આવે છે. જૂનાગઢના દિવાન અનંતજી અમરચંદ વસાવડા પરમ શિવભક્ત હતા. ઇ.સ. ૧૮૪૫ થી ૧૮૬૦ દરમ્યાન તેમણે અનેક શિવાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને શિવરાત્રિના મેળાની સુવિધાઓ વધારવાના પણ પ્રયાસો કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field