Home વ્યાપાર જગત - BUSINESS સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરનાં તોફાની તેજીના માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરનાં તોફાની તેજીના માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

121
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૬૬૧.૭૬ સામે ૪૯૮૮૫.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૫૮૧.૬૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૬.૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૪૬.૨૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૮૮.૦૦ સામે ૧૪૯૩૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૭૩.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૩૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઇકાલે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રથમ ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ વ્યાજ દર યથાવત રાખીને અને આ સાથે જંગી સરકારી બોન્ડ ખરીદીના સંકેત આપતાં ફંડોએ આજે ભારતીય શેરબજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ સંકેત સામે કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે અર્થતંત્ર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજે ઉછાળે નફારૂપી વેચવાલી પણ જોવા મળી હતી.

કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, ફાઇનન્સ, યુટિલિટી અને બેંકેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૨ અને વધનારની સંખ્યા ૧૮૫૮ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરાયેલા મિનિ લોકડાઉન સહિતના પગલાંને પરિણામે દેશની વર્તમાન નાણાં વર્ષની ગ્રોસ વેલ્યુ એડેડ વૃદ્ધિમાં  ૦.૩૨%નો ફટકો પડવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનને કારણે સૌથી વધુ નુકસાન વેપાર, હોટેલ્સ, રેસ્ટોરેન્ટ, સ્ટોરેજ જેવા ક્ષેત્રને થવાની ધારણાં છે. બીજા ક્રમે નાણાંકીય સેવાઓ, રિઅલ એસ્ટેટ તથા વ્યવસાયીક સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીજ ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર વગેરેને પણ નુકસાન થશે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨માં સ્થિતિ સામાન્ય બની જશે તેવી ધારણાંએ કેર રેટિંગ્સે માર્ચ ૨૦૨૨ના અંતે ભારતની જીવીએ વૃદ્ધિ ૧૦.૨૪% રહેવા પહેલા અંદાજ મૂકયો હતો. પરંતુ વર્તમાન નાણાં વર્ષનો પ્રારંભમાં જ આર્થિક ખલેલો ઊભી થઈ છે, જેને કારણે એકંદર ઉત્પાદન તથા ઉપભોગ પર અસર પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિઝર્વ બેંક દ્વારા વ્યાજદર યથાવત્ રાખતા શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!
Next articleસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.