Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં કોરોના પ્રકોપ થકી અંદાજીત ૧૫૦૦ પોઇન્ટનો કડાકો…!!!

ભારતીય શેરબજારમાં કોરોના પ્રકોપ થકી અંદાજીત ૧૫૦૦ પોઇન્ટનો કડાકો…!!!

152
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૪.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૦૨૯.૮૩ સામે ૫૦૦૨૦.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૫૮૦.૮૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૪૭.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૦.૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૧૫૯.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૩.૩૫ સામે ૧૪૮૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૪૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૯.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૬.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૦૬.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત વિક્રમી ઘટાડા સાથે થઈ હતી. વિશ્વના અર્થતંત્રમાં કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહ્યું હોવાથી આજે ભારતીય શેરબજારમા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વભરમાં ફરી કોરોના સંક્રમણના નવા વેવની ચિંતામાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને રાજ્ય સરકાર સાથેની બેઠકમાં બીજા તબક્કાનો કોરોના દેશમાં ફરી વળ્યો હોવાની દહેશત વ્યકત કરી છે. તેની શેરબજારમાં ભારે નકારાત્મક અસર જોવા મળી હતી. કેટલાક રાજ્યોએ તો ચોક્કસ સમય માટે કર્ફ્યુ અમલી કરી દીધો હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા સેક્ટરને નકારાત્મક અસર થવાની સંભાવનાઓ પાછળ આર્થિક ગ્રોથ ફરીથી ખોરવાઈ રહ્યો હતો તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કેસમાં ભારે વધારાના પગલે વ્યાપાર પ્રવૃત્તિની ગતિને અવરોધાઈ છે. પરંતુ આનાથી વધારે નુકસાન થવાની સંભાવના નથી કારણ કે રસીકરણની પ્રક્રિયામાં વધારો કરીને વાયરસનો ફેલાવો અટકાવવાના પ્રયાસ જારી છે. જે જોતા નાણાંકીય વર્ષ ૨૦૨૨માં કોર્પોરેટ કમાણીમાં જોવા મળશે આર્થિક મોરચે વિકટ બની રહેલી પરિસ્થિતિ અને પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા ભાવોને લઈ મોંઘવારી અસહ્ય બની જતાં આગામી દિવસોમાં બેરોજગારીની સમસ્યામાં પણ ચિંતાજનક વધારાના સંકેતે કેન્દ્ર અને રાજય સરકારો માટે મોટા પડકારોને લઈ ફંડો, મહારથીઓએ સાવચેતીમાં શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતા આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલીકોમ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૬ અને વધનારની સંખ્યા ૧૦૫૯ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એક વર્ષથી કોરોનાના કારણે દેશભરમાં બેરોજગારીની સમસ્યામાં ભયાવહ વધારો થયો હોવાથી કોરોના વાયરસના કેસમાં ભારે વધારાના પગલે વ્યાપાર પ્રવૃત્તિની ગતિને અવરોધાઈ છે. પરંતુ આનાથી વધારે નુકસાન થવાની સંભાવના નથી કારણ કે રસીકરણની પ્રક્રિયામાં વધારો કરીને વાયરસનો ફેલાવો અટકાવવાના પ્રયાસ જારી છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો ફાળો લગભગ ૧૩ ટકા છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ફાળો છે. મહારાષ્ટ્રમાં કોવિડના કેસમાં વધારો ચિંતાનો વિષય છે. જો કે, કોરોનાની નવી લહેરથી કેટલું નુકસાન થશે તે આગાહી કરવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજયો માટે મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફાઇનાન્સિયલ વર્ષનાં પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ૫૦૦ પોઈન્ટની તેજી…!!!
Next articleભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.