Home વ્યાપાર જગત - BUSINESS ફાઇનાન્સિયલ વર્ષનાં પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ૫૦૦ પોઈન્ટની તેજી…!!!

ફાઇનાન્સિયલ વર્ષનાં પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ૫૦૦ પોઈન્ટની તેજી…!!!

115
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૦૯.૧૫ સામે ૪૯૮૬૮.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૭૮.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૦.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૦૨૯.૮૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૫૨.૩૦ સામે ૧૪૮૨૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૬૦.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૩૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. કોરોના મહામારીની પ્રતિકળતા વચ્ચે પણ નાણાંકીય વર્ષ દરમિયાન રોકાણની વિવિધ એસેટ્સમાં પોઝિટીવ રિટર્ન મળ્યું છે. કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહ્યું હોવાથી અર્થતંત્ર માટે ચિંતા જોવા મળી છે. જ્યારે ચાઈના કોરોનામાંથી બેઠું થઈને વેક્સિનેશન ઝડપી કરીને વિશ્વના અર્થતંત્ર પર ફરી કબજો જમાવવા જઈ રહ્યા છે અને અમેરિકી અર્થતંત્રને પાછળ ધકેલી દેવાના સંકેત સાથે ચાઈનાની આર્થિક વૃદ્વિ ૯.૩ ટકા જેટલી નોંધાય છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો ફાળો લગભગ 13 ટકા છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો છે. મહારાષ્ટ્રમાં કોવિડના કેસમાં વધારો ચિંતાનો વિષય છે. જો કે, કોરોનાની નવી લહેરથી કેટલું નુકસાન થશે તે આગાહી કરવી મુશ્કેલ છે. પરંતુ એવું કહી શકાય કે આ નુકસાન ખૂબ મોટું નહીં હોય. 2020ના અનુભવને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના આકરા પગલા તેમજ રસીકરણની પ્રક્રિયા ઝડપી કરીને આ ચેપને નિયંત્રિત કરી શકાય છે. કોરોના સિવાય બજારમાં ડોલર ઇન્ડેક્સમાં વધારો, આખા વિશ્વમાં વ્યાજના દરની પરિસ્થિતિમાં પરિવર્તન જેવા અન્ય જોખમો છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૭ અને વધનારની સંખ્યા ૭૫૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ઇક્વિટી રોકાણ વધીને ૩૬ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે જે આઠ વર્ષની ઉંચી સપાટી છે. એફપીઆઇ દ્વારા ભારતીય ઇક્વિટી સેગમેન્ટમાં વર્ષ ૨૦૧૨- ૧૩ પછી સર્વાધિક રોકાણ જોવા મળ્યું છે. જો કે, કેટલીક પ્રતિકૂળતાએ રોકાણ પાછું પણ ખેંચ્યું હતું. આમ છતાં ય, ચાલુ નાણાકીય વર્ષે વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. બીજી તરફ જાન્યુઆરી માસના અંત સુધીમાં સીધું વિદેશી રોકાણ પણ વધીને ૪૪ અબજ ડોલર પહોંચ્યું છે. જે એક વર્ષ અગાઉ ૩૬.૩ અબજ ડોલરની સપાટીએ હતું. ગત નવેમ્બર અને ડિસેમ્બર માસમાં એફડીઆઇમાં પણ મોટા પાયે વધારો નોંધાયો હતો. જો કે જાન્યુઆરી ૨૦૨૧માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગત સપ્તાહે બજારમાં જોવાયેલી મોટી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફાઇનાન્શિયલ વર્ષનાં અંતે ભારતીય શેરબજાર માં ઉછાળે નફારૂપી વેચવાલી….!!!
Next articleભારતીય શેરબજારમાં કોરોના પ્રકોપ થકી અંદાજીત ૧૫૦૦ પોઇન્ટનો કડાકો…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.