Home દુનિયા - WORLD PNB કૌભાંડમાં વોન્ટેડ મેહુલ ચોક્સીએ ભારત પાંચ નહીં ફરવા માટે આપ્યું નવું...

PNB કૌભાંડમાં વોન્ટેડ મેહુલ ચોક્સીએ ભારત પાંચ નહીં ફરવા માટે આપ્યું નવું કારણ; હું કેસની સુનવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી, મને બ્લડ કેન્સર છે: મેહુલ ચોક્સી

8
0

(જી.એન.એસ) તા. 28

બેલ્જિયમ,

પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડીના કેસમાં મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોક્સીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું છે કે તે કેસની સુનાવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી. પ્રાઆ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે, હાલમાં બેલ્જિયમમાં રહેતા મેહુલ ચોકસીએ કોર્ટને જણાવ્યું છે કે તેને બ્લડ કેન્સર છે.

કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં દાખલ કરવામાં આવેલી ખાસ અરજીમાં મેહુલે દાવો કર્યો છે કે તે ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમિયાથી પીડિત છે. મેહુલ ચોક્સીએ પોતાની અરજીમાં પોતાનો મેડિકલ રિપોર્ટ પણ જોડ્યો છે. આ સાથે મેહુલે બેલ્જિયમના એન્ટવર્પના એક ડોક્ટરનો અભિપ્રાય પણ શેર કર્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેહુલ અત્યારે કોઈ પણ રીતે મુસાફરી કરવાની સ્થિતિમાં નથી. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીએ તેના દેશમાં પાછા ફરવું જોઈએ કારણ કે ભારતમાં પણ તેની સારવાર કરી શકે તેવા સારા ડોકટરો છે.

જો કે, થોડા દિવસો આગાઉ કૌભાંડી મેહુલે દાવો કર્યો હતો કે તેનું એન્ટિગુઆમાં અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. એટલુ જ નહીં મેહુલે એવો પણ દાવો કર્યો હતો કે ભારત સરકારના અધિકારીઓએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પંજાબ નેશનલ બેંક સાથે લગભગ $2 બિલિયન (લગભગ રૂ. 13,400 કરોડ)ની છેતરપિંડી કરનાર મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક મેહુલ, હવે એન્ટીગુઆનો નાગરિક છે અને હાલમાં કેન્સરની સારવાર માટે બેલ્જિયમમાં રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field