Home દેશ - NATIONAL J&K: કેરન સેકટરમાં 4 આતંકવાદી ઠાર, પાકિસ્તાન સેનાની વર્દીમાં હતા આતંકી

J&K: કેરન સેકટરમાં 4 આતંકવાદી ઠાર, પાકિસ્તાન સેનાની વર્દીમાં હતા આતંકી

515
0

(જી.એન.એસ), તા.૧૦
જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરી કરવાની કોશિષને ફરી નિષ્ફળ બનાવાઇ છે. સોમવારના રોજ સવારે કુપવાડાના કેરન સેકટરમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાક માર્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ ચારેય આતંકવાદી પાકિસ્તાની સેનાની મદદથી ઘૂસણખોરી કરવાની કોશિષ કરી રહ્યાં હતા. હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે. ચારેય આતંકવાદી પાકિસ્તાની સેનાની વર્દીમાં હતી તેવી માહિતી મળી છે.
હજુ સુધી સેનાની તરફથી આ અથડામણને લઇને કોઇ સત્તાવારા નિવેદન આપ્યું નથી. મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે સેનાને આ ઘૂસણખોરીને નિષ્ફળ કરવામાં મોટી સફળતા મળી છે. હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ચારેય શંકાસ્પદ આતંકવાદીઓ પાકિસ્તાની હતા તેવું કહેવાય છે.
આપને જણાવી દઇએ કે પાકિસ્તાનની તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. ગયા બુધવારે જ પૂંછ વિસ્તારમાં પાકિસ્તાનની તરફથી ગોળીબાર કરાયો હતો. પાકિસ્તાનની તરફથી એલઓસી ના પૂછં, કુપવાડા જેવા વિસ્તારોમાં પાકિસ્તાનની તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન અને ઘૂસણખોરીની સતત કોશિષ કરાઇ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field