Home દેશ - NATIONAL સ્વસ્છ શહેરની યાદીમાં ઈન્દોર સતત પાંચમી વખત પ્રથમ સ્થાને

સ્વસ્છ શહેરની યાદીમાં ઈન્દોર સતત પાંચમી વખત પ્રથમ સ્થાને

158
0

(જી.એન.એસ) , તા.૨૦
નવી દિલ્હી
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સ્વચ્છ શહેરો માટે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર ૨૦૨૧ આપવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ કોવિંદ શનિવારે ૩૪૨ શહેરોનું સન્માન કર્યું, જેને ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧’ની શ્રેણીમાં ગાર્બેજ ફ્રી સિટી અને સફાઈ મિત્ર ચેલેન્જની શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવ્યા. શહેરોને સન્માનિત કરવાનો કાર્યક્રમ, ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલક્‌દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. અને તે રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં યોજાયો હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. આ ઉપરાંત, આ કાર્યક્રમ ‘સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જ’ હેઠળ ટોચના પ્રદર્શન કરનારા શહેરોને ઓળખીને સ્વચ્છતા કાર્યકરોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવ્યા. “૨૦૧૬ માં ૭૩ મોટા શહેરોના સર્વેક્ષણમાંથી, ૨૦૨૧ માં ૪,૩૨૦ શહેરોએ ભાગ લીધો હતો, સ્વચ્છ સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિ જે વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ બની ગયું છે,” મંત્રાલયે જણાવ્યું હતું. કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રદર્શનમાં થયેલા સુધારા પર પ્રકાશ પાડતા મંત્રાલયે જણાવ્યું હતું કે છ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના એકંદર પાયાના સ્તરના સુધારામાં ૫% થી ૨૫% ની વચ્ચેનો એકંદર સુધારો દર્શાવ્યો છે.કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન-અર્બન ૨.૦ હેઠળ ભારતને કચરો મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, કચરો મુક્ત શહેરોની શ્રેણી હેઠળ પ્રમાણિત શહેરોને પણ આ કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશના ૩૪૨ સ્વચ્છ શહેરોનું સન્માન કર્યું. આ શહેરોને ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧’માં સ્વચ્છ અને કચરો મુક્ત હોવા માટે કેટલાક સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ એવોર્ડ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (સ્ર્ૐેંછ) ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ દ્વારા આયોજિત કરવામાં આવે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન-અર્બન ૨.૦ હેઠળ ભારતને કચરો મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, કચરો મુક્ત શહેરોની શ્રેણી હેઠળ પ્રમાણિત શહેરોને પણ આ કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવ્યા. આ પહેલ વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન સર્વેમાં ૭૩ મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે, “આ વર્ષના સર્વેની સફળતાને આ વખતે નાગરિકો તરફથી મળેલા પ્રતિસાદની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી છે.” આ વખતે પાંચ કરોડથી વધુ ફીડબેક આવ્યા. ગયા વર્ષે આ સંખ્યા ૧.૮૭ કરોડ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field