Home Uttarakhand ભગવાન શિવના ભક્તો માટે ખુશખબર.. 5 વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ...

ભગવાન શિવના ભક્તો માટે ખુશખબર.. 5 વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, વિદેશ મંત્રાલયે આ પવિત્ર યાત્રા માટે અરજી પ્રક્રિયા શરુ કરી

52
0

(જી.એન.એસ) તા. 26

નવી દિલ્હી,

ભગવાન શિવ ના ભક્તો માટે ખૂબ મોટા અને સારા સમાચાર આવ્યા છે, પાંચ વર્ષના લાંબા સમયના અંતર પછી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરુ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે યાત્રા માટે અરજી પ્રક્રિયા શરુ કરી છે. યાત્રિકો http://kmy.gov.in પર જઇને અરજીઓ કરી શકે છે. વિદેશ મંત્રાલયે આ યાત્રા માટે દ્વાર ખોલ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન આ વર્ષે જૂનથી ઓગષ્ટ મહિનાની વચ્ચે કરવામાં આવશે. આ યાત્રામાં 750 જેટલા યાત્રીઓ જ પવિત્ર સ્થળે જઇ શકશે.

આ વર્ષે પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉત્તરાખંડ રાજ્યથી 5 બેચ (દરેકમાં 50 યાત્રાળુઓ) લિપુલેખ પાસ થઈને મુસાફરી કરશે અને 10 બેચ (દરેક 50 યાત્રાળુઓ) સિક્કિમ રાજ્યથી નાથુ લા પાસ થઈને યાત્રા કરશે. યાત્રાળુઓની પસંદગી વિદેશ મંત્રાલય દ્વારા એક ન્યાયી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને તેમને અલગ અલગ રૂટ અને બેચ ફાળવવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રક્રિયા દ્વારા મુસાફરોને ફાળવવામાં આવેલ રૂટ અને બેચ સામાન્ય રીતે બદલાશે નહીં. જોકે, જો જરૂરી જણાશે તો પસંદ કરેલા યાત્રાળુઓ બેચમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે. આ ફેરફાર ફક્ત ત્યારે જ થઈ શકે છે જો ખાલી જગ્યા ઉપલબ્ધ હોય. આ બાબતે મંત્રાલયનો નિર્ણય અંતિમ રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field