Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: gujdesk
(જી.એન.એસ) તા. 16 લખનૌ, ઉત્તર પ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન રેકેટના કથિત માસ્ટરમાઇન્ડ અને સ્વ-ઘોષિત ધર્મગુરુ ચાંગુર બાબા ઉર્ફે જમાલુદ્દીનએ બુધવારે તેમના પરના આરોપો પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે તેઓ નિર્દોષ છે અને તેમને કંઈ ખબર નથી. યુપી આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા તેમને તબીબી તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે આ ટિપ્પણી કરી. “હું નિર્દોષ છું. મને કંઈ ખબર નથી,” તેમણે તેમની સહાયક નસરીન સાથે ચાલતા મીડિયાને કહ્યું, જે કસ્ટડીમાં છે. ચાંગુર બાબાનું ધર્મ પરિવર્તન રેકેટ અને પૈસાનું ટ્રેલ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા છંગુર બાબાની તેમના સહયોગી નીતુ, જેને નસરીન તરીકે પણ ઓળખવામાં…
૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ નિરીક્ષણમાં જોખમી જણાઈ આવેલા કુલ 0૫ પુલોને સંપૂર્ણપણે બંધ અને ૦૪ પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા (જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલોના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં ૧૭.૯૨…
ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું (જી.એન.એસ) તા. 16 વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી ની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે રૂ. ૨૧૨ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમાં આવા પુલના કામો માટે ૧૮ માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રીવ્યું કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલાં કામગીરી એટલે…
One District One Product (ODOP) એવોર્ડ- ૨૦૨૪ (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાત યોજાયેલ કાર્યક્રમમાં One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. ‘એક જિલ્લો, એક ઉત્પાદન'(ODOP) પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે DPIIT(Department of Promotion of Industry and Internal trade) ના સહયોગથી કુલ ૯૦…
પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને ધ્યાને રાખીને આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરાયો- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ (જી.એન.એસ) તા. 16 આણંદ/ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિના વિવિધ કામો માટે આ વર્ષે કુલ-૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મેહસાણા, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ, નડિયાદ અને પોરબંદર-છાયા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા…
અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસો બાબતેની ઝડપી કામગીરી ૧૬ જુલાઇના રોજ કલેકટર ઓફિસ ખાતે એક જ દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવા વિવાદિત ૫૦૧ કેસોની સુનાવણી થઈ (જી.એન.એસ) તા. 16 અમદાવાદ અમદાવાદ જિલ્લામાં હાલ ખૂબ ઝડપી કામગીરી થઇ રહી છે. ૧૬ જુલાઇના રોજ એક દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવી જુદીજુદી તકરારોના ૫૦૧ કેસોની સુનાવણી કરવામાં આવી છે. કલેક્ટર ઓફિસ અમદાવાદ દ્વારા વધુ કેસોની સુનાવણી થઇ નિકાલ થાય તેના માટે છેલ્લા બે માસથી ઝુંબેશ સ્વરૂપે આયોજન કરી દરેક સુનાવણીમાં ૧૦૦ થી વધુ કેસોની સુનાવણી આપવામાં આવે છે. છેલ્લા બે માસની વાત કરીએ તો ૨૧ જૂનના…
રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : ડૉ.જયંતિ રવિ (જી.એન.એસ) તા. 16 રાજ્યના મૃદુ અને મકકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા પ્રજા ભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે નિવાસી કલેકટરશ્રી અને અધિક કલેકટરશ્રીઓ સાથે વી.સી.ના માધ્યમથી વિભાગીય અગત્યની કામગીરીનો રીવ્યુ લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ વિભાગ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજયમાં જુની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરી ની ઝુંબેશના ભાગરુપે અત્યાર સુધી ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે અને સતત રીવ્યુ કરીને આ કામગીરી…
સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી રસ્તા ઉપર “AI વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક મુદ્દે તરત તંત્રને માહિતી આપતું સુરત મહાનગર પાલિકાનું ICCC સેન્ટર (જી.એન.એસ) તા. 16 સુરત, સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે ૨૪*૭ શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો “રિયલ ટાઈમ” અંદાજ મેળવીને, સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો…
હવે 100 જિલ્લાઓમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ઝડપી વિકાસ (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે છ વર્ષના સમયગાળા માટે “પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના”ને મંજૂરી આપી, જે 2025-26થી શરૂ કરીને 100 જિલ્લાઓને આવરી લેશે. પ્રધાનમંત્રી ધન- ધાન્ય કૃષિ યોજના નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાંથી પ્રેરણા લે છે અને તે તેના પ્રકારની પ્રથમ યોજના છે, જે ફક્ત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા, પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહને વધારવા, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવા અને લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે.…
(જી.એન.એસ) તા. 16 મુંબઈ, સિદ્ધાંત ચતુર્વેદીએ હમણાં જ બોલિવૂડમાં એક મોટો વિસ્ફોટ કર્યો છે અને તેમાં એક એવું આશ્ચર્ય છે જે કોઈએ જોયું ન હતું. વરિન્દર ચાવલાના હેશા ચિમાહ સાથેના એક નવા ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ આકસ્મિક રીતે (જાણી જોઈને) ખુલાસો કર્યો કે ઇશાન ખટ્ટર ગલી બોય 2 માટે કામ કરી શકે છે, જે ઉદ્યોગની સૌથી અણધારી સિક્વલ ક્રોસઓવર લાગે છે. તેની નવીનતમ ફિલ્મ ધડક 2 ની ચર્ચા કરતી વખતે, સિદ્ધાંતે ઇશાનને લગતી એક રમુજી વાર્તા વચ્ચે આ સમાચારને આકસ્મિક રીતે છોડી દીધા. જેમ જેમ બહાર આવ્યું છે તેમ, સિદ્ધાંતને ખબર પણ નહોતી કે તેની પોતાની ફિલ્મનું નામ ધડક 2 છે જ્યાં…
