જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૬ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
(જી.એન.એસ),તા.૨૨
ગાંધીનગર,

ગુરુવારે, લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે સરકાર દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી એમ.કે.દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ગાંધીનગર જિલ્લાના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી એમ. કે દવે લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દબાણ, જમીન સંપાદન, રોડ રસ્તાનું સમારકામ,ગંદકી જેવા ૨૭ પ્રશ્ર્નોનો સમાવેશ કરાયો હતો. જેમાંથી ૨૬ પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.જ્યારે બાકી રહેલા એક પ્રશ્નનો તાકિદે સકારાત્મક નિકાલ કરવા જે તે જવાબદાર અધિકારીને કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા સુચન કરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.