(જી.એન.એસ),તા.૦૫
ગાંધીનગર,
દહેગામ તાલુકાના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આજે દહેગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળી રહે તેના સુચારું આયોજનની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ દહેગામ તાલુકાના છેવાડાના માનવી સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે તેના નક્કર આયોજન કરવા માટે દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ આજે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જે 17 યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. તેમાં કોઈ પણ લાભાર્થી આ યોજનાઓના લાભ વિના વંચિત ન રહે તેવું ભારપૂર્વક તાલુકાના અધિકારીઓને જણાવ્યું હતું તેમણે લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ કેવી રીતે, ક્યાં અને કયા કયા ડોક્યુમેન્ટો થી સરળતાથી મળી રહે તેની સમજ યાત્રા દરમિયાન જે ગામમાં રથ જાય ત્યાં તમામ ગ્રામજનોને આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ આ યોજનાઓથી લોકો જાગૃત બને તે માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં દહેગામ તાલુકા પ્રમુખશ્રી, નોડલ અધિકારીશ્રી, મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ કચેરીના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.