Home ગુજરાત મહિસાગર નદીમાં જળસ્તર વધ્યુ, વડોદરા નજીક આવેલ મુજપુર બ્રિજને પણ બંધ કરવામા...

મહિસાગર નદીમાં જળસ્તર વધ્યુ, વડોદરા નજીક આવેલ મુજપુર બ્રિજને પણ બંધ કરવામા આવ્યો

22
0

(GNS),18

વડોદરાના પાદરા વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર નદીમાં જળસ્તર વધ્યુ છેય વડોદરા નજીક આવેલ મુજપુર બ્રિજને પણ બંધ કરવામા આવ્યો છે. બ્રિજને બેરીકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. અવર જવર બંધ કરવાને લઈ બ્રિજથી પસાર થતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. નદી કાંઠા વિસ્તારના ફાર્મ હાઉસોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે. મહિસાગર નદીમાં વધેલા જળસ્તરને લઈ પાણીનો ધસમસતો પ્રવાહ કેવો વહી રહ્યો છે. મુજપુર બ્રિજ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં આસપાસના ફાર્મ હાઉસમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે, નદીના પટથી પણ બહાર મહિસાગર નદીના પાણી વહી રહ્યા છે. કાંઠાના વિસ્તારમાં નદીના પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field