Home રમત-ગમત Sports કોહલી-રોહિતની મહત્વની વિકેટ ઝડપીને આનંદ થયો : દુનિથ વેલ્લાલાગે

કોહલી-રોહિતની મહત્વની વિકેટ ઝડપીને આનંદ થયો : દુનિથ વેલ્લાલાગે

29
0

(GNS),14

શ્રીલંકાના યુવા ખેલાડી દુનિથ વેલ્લાલાગેએ મંગળવારે ભારત સામેની સુપર ફોર મેચમાં પાંચ વિકેટ ઝડપીને છવાઈ ગયો હતો. શ્રીલંકાના ડાબોડી સ્પિનરે જણાવ્યું કે, મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની વિકેટ ઝડપીને આનંદ થયો હતો. શ્રીલંકાના ખેલાડી દુનિથ વેલ્લાલાગેએ 40 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી જેને પગલે ભારતીય ટીમ 213 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ ઉપરાંત તેણે બેટિંગમાં પણ 42 રનની અણનમ ઈનિંગ્સ રમીને ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. ભારતીય બોલર્સની પ્રશંસનીય બોલિંગની મદદથી શ્રીલંકાને 172 રનમાં તંબૂ ભેગું કરી દેતા ભારતનો 41 રને વિજય થયો હતો.

શ્રીલંકાના ખેલાડી દુનિથ વેલ્લાલાગેએ વિરાટ અને રોહિત ઉપરાંત હાર્દિક, શુભમન અને કે એલ રાહુલ સહિતના ટોચના બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મારા માટે વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન છે અને હું ભારતના ટોચના બે ખેલાડીઓ (કોહલી-રોહિત)ની વિકેટ ઝડપીને ખુશ છું. હું મારા મૂળમાં તેમજ સ્વમાં વિશ્વાસ ધરાવું છું. શ્રીલંકાના ખેલાડી દુનિથ વેલ્લાલાગેના મતે તેણે અનુભવી બેટ્સમેનો સામે વિકેટ ટુ વિકેટ બોલિંગ કરવાની રણનીતિ અખત્યાર કરી હતી. ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ મેળવતા અમે ભારત પર દબાણ લાવી શક્યા હતા તેમ શ્રીલંકન લેગ સ્પિનરે જણાવ્યું હતું. ભારતે શ્રીલંકાને હરાવીને સળંગ 13 વન-ડે વિજયની કૂચ પર બ્રેક લગાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field